સબ ઇન્સ્પેક્ટર બન્યો લૂંટારો, એન્કાઉન્ટરની ધમકી આપીને વેપારી પાસે લૂંટ્યા 1 કરોડ

ચંદીગઢથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક એડિશનલ SHOએ પંજાબના એક મોટા વેપારીને એન્કાઉન્ટરની ધમકી આપીને તેની પાસે એક કરોડ રૂપિયા લૂંટી લીધા. જ્યારે વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી તો આરોપીએ પોતાના પ્રભાવથી કેસ ન નોંધાવા દીધો, પરંતુ જ્યારે કેસ SSP સુધી પહોંચ્યો તો આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. હવે તેના જ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધાઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આરોપી સબ ઇન્સ્પેક્ટર અને તેના અન્ય સાથીઓ પર લૂંટ અને અપહરણની કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ કેસ ડકેતી, લૂંટ અને જીવથી મારવાની ધમકીનો છે. એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના અન્ય સાથીઓએ 2 હજાર રૂપિયાની નોટ બદલવાના નામ પર બંઠિડાના વેપારીનું અપહરણ કર્યું અને 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો અને સાથે જ જીવથી મારવાની ધમકી પણ આપી.

ફરિયાદકર્તા SSP કંવરદીપ સુધી પહોંચ્યો અને જણાવ્યું કેમ SHO નવીન ફોગાટ અને તેની ટીમે તેની પાસે 1 કરોડ 1 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેને જીવથી મારવાની ધમકી પણ આપી. એમ પણ કહેવામાં આવ્યું કે, નવીન ફોગાટ અધિકારીઓ સામે જ પોલીસ સ્ટેશનથી ફરાર થઈ ગયો કેમ કે DSPના કહેવા પર ફરિયાદકર્તાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદકર્તા પોલીસ સ્ટેશન પહોંચ્યો તો તેણે નવીન ફોગાટને ઓળખી લીધો અને નવીન તેને બહાર લઇને ગયો અને તેની સાથે સમજૂતી કરવાની વાત કહી.

જો કે, ફરિયાદકર્તા ન માન્યો અને તેના તુરંત બાદ નવીન ફોગાટ ત્યાંથી ફરાર થઈ ગયો. આ દરમિયાન DSP ચરણજીતે આદેશ આપ્યા અને એડિશનલ SHO નવીન ફોગાટ અને તેના ત્રણ અજાણ્યા પોલીસકર્મી સાથી, ઈમિગ્રેશન કંપની સર્વેશ, ગિલ, જતિન્દર વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલમાં બધા આરોપી ફરાર છે. એડિશનલ SHO નવીન ફોગાટને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. DSP ચરણજીત સિંહ આ કેસની તપાસ કરી રહ્યા છે.

પોલીસે લૂંટેલી 75 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કેસની પૂરી તપાસ બાદ જ આ રકમ ફરિયાદકર્તાને પરત કરવામાં આવશે. આ ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓની પણ ભૂમિકા છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. આ અગાઉ પણ આરોપી એડિશનલ SHO નવીન પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. ત્યારે તે સાઇબર સેલમાં હતો. આ કેસમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ જ તેણે રેપ કેસમાંથી મુક્ત થયા બાદ ફરી ડ્યૂટી જોઇન્ટ કરી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.