નરેન્દ્ર મોદીનું હિન્દુત્વ રાવણ જેવું છે કેમ કે તે પોતાના માટે છે: BJP નેતા

ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હરિયાણાના નૂહમાં થયેલી સાંપ્રદાયિક હિંસા માટે સરકારની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે. હરિયાણામાં ભાજપની સરકાર છે અને મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી છે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે તે પૂરી રીતે પ્રશાસનિક નિષ્ફળતાનું પરિણામ છે. હિન્દુત્વનો ઊભાર નથી. એક વેબસાઇટના સંપાદક સાથે વાતચીત કરવા દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે, શું અયોધ્યાના રામ મંદિર આંદોલન બાદ હિન્દુત્વનો જે ઊભાર થયો, તેનાથી હિન્દુ-મુસ્લિમ સૌહાર્દ નબળું થયું?

તેના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, નહીં.’ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને પણ વિદેશ અને આર્થિક મોરચા પર પૂરી રીતે નિષ્ફળ બતાવી. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં તેઓ ભાજપ માટે પ્રચાર કરશે, પરંતુ નરેન્દ્ર મોદી માટે નહીં. તેમણે એ પણ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ 2024ની ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં. તેમણે કહ્યું કે, એ અત્યારે નહીં કહી શકાય કેમ કે આ નિર્ણય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કરશે. અત્યારે આ બાબતે કોઇ નિર્ણય થયો નથી અને RSS પોતાનો નિર્ણય પહેલાથી બતાવતું પણ નથી. એટલે ભાજપ બહુમતમાં આવવા છતા નરેન્દ્ર મોદીનું ત્રીજી વખત વડાપ્રધાન બનવાનું નક્કી નથી.

સુબ્રમણ્યમ સ્વામીને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ હાલમાં જ જે કહ્યું કે તેના ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે, એ વાતની સંભાવનામાં કેટલો દમ છે? તેના જવાબમાં તેઓ બોલ્યા કે જો સાચી દિશામાં અને યોગ્ય નીતિઓ સાથે ચાલવામાં આવે તો અમેરિકા બાદ બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તેમાં એ ધ્યાન આપવાની વાત છે કે તેઓ વર્ષ 2024 લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે કે નહીં એ અત્યારે નક્કી નથી.

સ્વામીને પૂછવામાં આવ્યું કે બે મહત્ત્વના મુદ્દા (અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ) પર જ્યારે તમે મોદી સરકારને પૂરી રીતે નિષ્ફળ બતાવી રહ્યા છો તો વર્ષ 2019માં બીજી વખત કેવી રીતે તેમના નામ પર ભાજપને બહુમત મળી ગયો? તેના જવાબમાં તેમણે કહ્યું કે, વોટ હિન્દુત્વના નામ પર મળ્યા. ભાજપમાં હિન્દુત્વ માટે સમર્પિત નેતા અને કાર્યકર્તા છે. તેના પર પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી હિન્દુત્વ માટે સમર્પિત નથી. સ્વામીએ જવાબ આપ્યો કે મોદીનું હિન્દુત્વ રાવણ જેવું છે કેમ કે તે પોતાના માટે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.