પત્ની સાથે ફોન પર વાત કર્યા બાદ આત્મહત્યા, ધર્મ પરિવર્તનનું દબાણ હતું: પરિવાર

UPના મેરઠમાં એક હિન્દુ યુવકની આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મહત્વની વાત એ છે કે, 4 વર્ષ પહેલા આ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આરોપ એ છે કે ત્યારથી સાસરિયાં તેના પર ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરી રહ્યા હતા. આ દબાણને કારણે ઘણા સમયથી પતિ-પત્ની અલગ-અલગ રહેતા હતા, પરંતુ આત્મહત્યા કરતા પહેલા યુવકે તેની પત્ની સાથે 40 મિનિટ સુધી વાત કરી અને પછી જીવનનો અંત આણ્યો હતો. તેને એક બાળક પણ છે.

ઘટના મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારની ચિત્રકૂટ કોલોનીની છે, જ્યાં દુષ્યંત નામનો યુવક DJનું કામ કરતો હતો. 4 વર્ષ પહેલા દુષ્યંતની મુલાકાત ફરહા નામની મુસ્લિમ યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલ્યું અને પછી પરિવારના સભ્યો વિરુદ્ધ જઈને બંનેએ લગ્ન કરી લીધા. દુષ્યંતના સંબંધીઓના જણાવ્યા અનુસાર, બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. પરિવારનો આરોપ છે કે, લગ્ન બાદ દુષ્યંતના સાસરિયાં તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા.

આ દબાણને કારણે બંનેને અલગ પણ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન દુષ્યંત ઘણી વખત દેવબંદ પણ ગયો હતો. આ દબાણને કારણે દુષ્યંત લાંબા સમયથી ડિપ્રેશનમાં ચાલી રહ્યો હતો. મરતા પહેલા દુષ્યંતે તેની પત્ની ફરાહને ફોન પણ કર્યો હતો અને બંને વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી, પરંતુ તે પછી પણ જ્યારે વાત ન બની તો દુષ્યંતે પોતાની જિંદગીનો અંત આણી લીધો હતો.

દુષ્યંતે ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ મામલે હિન્દુ સંગઠનો પણ સક્રિય થયા છે. મેરઠના હિન્દુ સંગઠનના લોકોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. આ મામલે હિન્દુ જાગરણ મંચના પૂર્વ મહાનગર પ્રમુખ સચિન સિરોહીએ પણ કડક કાર્યવાહીની માંગ કરી હતી અને સમગ્ર મામલાની તપાસની માંગ કરી હતી. આ સાથે તેણે પત્નીના પરિવાર પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે, પરિવારના સભ્યોએ કોઈ અરજી આપી નથી. પોલીસ અધિકારીઓની વાત માનીએ તો ધર્માંતરણના દબાણ જેવા આક્ષેપો તો થાય છે, પરંતુ હજુ સુધી પરિવારજનોએ કોઈ અરજી લખીને આપી નથી. જો આ પ્રકારની કોઈ અરજી આવશે તો આરોપોની તપાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.