બાળકના શબને લઇને જતા હતા, કાર ડમ્પરમાં ઘુસી ગઇ, 5ના ઘટના સ્થળે જ મોત

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં રવિવારે બપોરના સમયે એક કાર પુરઝડપે જઇ રહી હતી ત્યારે રસ્તા પર ઉભેલા ડમ્પર સાથે પાછળથી ભટકાઇ ગઇ હતી ઘટના સ્થળે જ 5 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા કલેકટર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  આ આખી ઘટનાની કરુણાંતિકા એવી છે કે  પરિવારના એક બાળકને હોસ્પિટલમાં બતાવવા દિલ્હી લઇ જવાયો હતો અને બાળકને પાછા લઇને પરિવાર બિહાર જઇ રહ્યો હતો. હવે થયું કે રસ્તામાં જ બાળકનું મોત થઇ ગયું હતું અને એ સદમો પરિવાર સહન કરે એની થોડી જ વારમાં અકસ્માત થઇ ગયો હતો અને 5 લોકો મોતને ભેટ્યા હતા, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષો હતા. તમે અકસ્માતની તસ્વીરો જોશો તો વિહવળ થઇ જશો, કારણ કે કારના તો ભૂક્કા બોલી ગયા હતા, પરંતુ  કારની અંદર મૃતદેહોના પણ ચિથરા ઉડી ગયા હતા. પોલીસે લોકોની મદદથી મહામહેનતે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ અકસ્માત અખંડ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. માહિતી મળતાં જ DM જસજીત કૌર અને એસપી સોમેન વર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. DM જસજીત કૌરે કહ્યું કે, મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને અકસ્માતમાં મોતને ભેટેલાં લોકોના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. DMએ કહ્યું કે કારને ભારે નુકશાન થયું છે અને કારના સવાર લોકોના મૃતદેહો પણ ખરાબ રીતે વિકૃત થઇ ગયા છે. ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કઢાયા છે.

ડીએમએ કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કારને ભારે નુકસાન થયું છે. કાર સવારોના મૃતદેહ પણ ખરાબ રીતે વિકૃત થઈ ગયા છે. મૃતદેહો કારમાં ફસાયેલા હતા, જેને પોલીસકર્મીઓએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાસ્થળની તપાસ ચાલી રહી છે.

જાણવા મળેલી માહિતી મુજબ, બિહારના સાસારામમાં રહેતા સલીમના સાડા ત્રણ મહિનાના પુત્ર એહસાનની તબિયત સારી ન હતી. પરિવારના સભ્યો તેને સારવાર માટે દિલ્હી AIMSમાં લઈ ગયા. જ્યાં તબીબોએ જવાબ આપ્યો હતો. આ પછી બધા પુત્ર સાથે સ્વિફ્ટ ડિઝાયર કારમાં બિહારના રોહતાસ પરત ઘરે જઈ રહ્યા હતા. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રસ્તામાં જ અહેસાનનું મોત થયું હતું. આના થોડા સમય પછી, બપોરે લગભગ 12 વાગ્યે, કાર KM-183 એક્સપ્રેસ વે પર અકસ્માતનો ભોગ બની હતી.

આ ગંભીર અકસ્માતમાં સલીમની પત્ની રૂખસાર, સાઇના ખાતુન, સાહિલ ખાન, નાની જમિલા અને કાર ચાલક શાહરૂખના ઘટના સ્થળે મોત થયા હતા. મતલબ કે એક જ દિવસે પરિવારના 6 લોકો કાળનો કોળિયો બની ગયા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.