3 વર્ષથી જેલમાં ઉમર ખાલિદ, છતાં જામીન શા કારણે નથી મળી રહ્યા જાણો

દિલ્હી રમખાણના કેસમાં 3 વર્ષ પહેલા દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020ના રોજ JNUના પૂર્વ છાત્ર નેતા ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. ત્યારથી ઉમર જેલમાં છે. હાઈકોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી તે જામીનની અરજી કરી રહ્યો છે. પણ તેને હજુ સુધી જામીન મળ્યા નથી. ઉમર ખાલીદ પર UAPA અને IPCની ધારા હેઠળ કેસ દાખલ છે. તેના પર કરવામાં આવેલો કેસ ઉત્તર પૂર્વીય દિલ્હી રમખાણોથી સંબંધિત છે. જે 2020માં નાગરિકતા કાયદાને લઇ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે થયા હતા.

આ વિરોધ પ્રદર્શનોને કારણે 2020ની શરૂઆતમાં દિલ્હીમાં હિંસા થઇ હતી. આ હિંસામાં 53 લોકોના મોત થયા હતા અને 700 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાછલા 3 વર્ષોમાં આ મામલામાં ઘણી ધરપકડો થઇ અને આરોપપત્ર પણ દાખલ કરવામાં આવ્યા. ઉમર ખાલીદ પર ઘણાં ભડકાઉ ભાષણો અને પૂર્વીય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા દરમિયાન લોકોને રસ્તા પર અવરોધ કરવા માટે ભડકાવવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી પોલીસનો આરોપ છે કે, તેણે આતંરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવા અને અલ્પસંખ્યકોને લઇ ખોટો પ્રચાર કરવાના ઈરાદાથી આવું કર્યું હતું. ત્યાર પછી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.

ધરપકડ પછીથી તે સતત પોતાની જામીન અપીલ કરી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધા પછી સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ સામે દિલ્હી પોલીસના આરોપોના વિરોધમાં ઉપલબ્ધ પુરાવા જોવા રાજી થઇ ગઇ છે. આનાથી ઉમર ખાલિદને આશા મળી છે. સુપ્રીમ કોર્ટે તેને 4 અઠવાડિયા પછીની તારીખ આપી છે. જણાવીએ કે, આ પહેલા દિલ્હી હાઈકોર્ટે 24 માર્ચ, 2022ના રોજ ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી. તેની સામે ઉમરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જામીનની અરજી કરી હતી.

દિલ્હી હાઈકોર્ટ પહેલા કાકડડૂમા જિલ્લા અદાલતે પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જિલ્લા અદાલતના ચૂકાદા સામે ઉમર ખાલિદે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે જામીન અરજીને લઇ સુનાવણી કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર જામ અને વિરોધ પ્રદર્શન પહેલેથી જ આયોજિત કરવામાં આવ્યા હતા એવું લાગે છે. હાઈકોર્ટે હિંસા ભડકાવવાના ષડયંત્રનો ઉલ્લેખ પણ તેમના ચૂકાદામાં કર્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.