3 વર્ષથી જેલમાં ઉમર ખાલિદ, છતાં જામીન શા કારણે નથી મળી રહ્યા જાણો

દિલ્હી રમખાણના કેસમાં 3 વર્ષ પહેલા દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020ના રોજ JNUના પૂર્વ છાત્ર નેતા ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. ત્યારથી ઉમર જેલમાં છે. હાઈકોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી તે જામીનની અરજી કરી રહ્યો છે. પણ તેને હજુ સુધી જામીન મળ્યા નથી. ઉમર ખાલીદ પર UAPA અને IPCની ધારા હેઠળ કેસ દાખલ છે. તેના પર કરવામાં આવેલો કેસ ઉત્તર પૂર્વીય દિલ્હી રમખાણોથી સંબંધિત છે. જે 2020માં નાગરિકતા કાયદાને લઇ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે થયા હતા.

આ વિરોધ પ્રદર્શનોને કારણે 2020ની શરૂઆતમાં દિલ્હીમાં હિંસા થઇ હતી. આ હિંસામાં 53 લોકોના મોત થયા હતા અને 700 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાછલા 3 વર્ષોમાં આ મામલામાં ઘણી ધરપકડો થઇ અને આરોપપત્ર પણ દાખલ કરવામાં આવ્યા. ઉમર ખાલીદ પર ઘણાં ભડકાઉ ભાષણો અને પૂર્વીય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા દરમિયાન લોકોને રસ્તા પર અવરોધ કરવા માટે ભડકાવવાનો આરોપ લાગ્યો છે. દિલ્હી પોલીસનો આરોપ છે કે, તેણે આતંરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવા અને અલ્પસંખ્યકોને લઇ ખોટો પ્રચાર કરવાના ઈરાદાથી આવું કર્યું હતું. ત્યાર પછી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.

ધરપકડ પછીથી તે સતત પોતાની જામીન અપીલ કરી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધા પછી સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ સામે દિલ્હી પોલીસના આરોપોના વિરોધમાં ઉપલબ્ધ પુરાવા જોવા રાજી થઇ ગઇ છે. આનાથી ઉમર ખાલિદને આશા મળી છે. સુપ્રીમ કોર્ટે તેને 4 અઠવાડિયા પછીની તારીખ આપી છે. જણાવીએ કે, આ પહેલા દિલ્હી હાઈકોર્ટે 24 માર્ચ, 2022ના રોજ ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી. તેની સામે ઉમરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જામીનની અરજી કરી હતી.

દિલ્હી હાઈકોર્ટ પહેલા કાકડડૂમા જિલ્લા અદાલતે પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જિલ્લા અદાલતના ચૂકાદા સામે ઉમર ખાલિદે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે જામીન અરજીને લઇ સુનાવણી કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર જામ અને વિરોધ પ્રદર્શન પહેલેથી જ આયોજિત કરવામાં આવ્યા હતા એવું લાગે છે. હાઈકોર્ટે હિંસા ભડકાવવાના ષડયંત્રનો ઉલ્લેખ પણ તેમના ચૂકાદામાં કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.