લાલુની ફેમિલી પર ED-CBIની રેડથી નીતિશ સૌથી વધારે ખુશ, સુશીલ મોદીએ જણાવ્યું કારણ

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને તેમના પરિવારના અન્ય સભ્યોના આવાસ પર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIની છાપેમારીથી સૌથી વધારે ખુશી મુખ્યમંત્રી નીતિશ કુમારને મળી રહી છે. સુશીલ કુમાર મોદીએ તેનું કારણ પણ બતાવ્યું છે. અરરિયા પહોંચેલા સુશીલ મોદીએ પત્રકારોને સંબોધિત કરતા આ વાત કહી હતી.

ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, લાલુ પરિવારને ટોર્ચર કરવાના આરોપ એકદમ પાયાવિહોણા છે. ED અને CBI માત્ર પોતાનું કામ કરી રહી છે. લાલુજીએ કામ જ એવું કર્યું છે જેનું પરિણામ તેમની સાથે સાથે આખા પરિવારને ચૂકવવું પડી રહ્યું છે. સુશીલ કુમાર મોદીએ EDની કાર્યવાહીને એકદમ યોગ્ય અને કાયદાથી યોગ્ય બતાવી છે. સુશીલ મોદીએ કહ્યું કે, નીતિશ કુમાર એટલે ખુશ છે કેમ કે છાપેમારીના કારણે તેમના પર રાષ્ટ્રીય જનતા દળ (JDU)નો દબાવ હતો, તે ઓછો થઈ જશે કે સમાપ્ત થઈ જશે.

જનતા દળ વારંવાર નીતિશ કુમાર પર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનો દબાવ બનાવી રહી હતી. તેમને કહેવામાં આવી રહ્યું હતું કે, તમે રાજીનામું આપીને તેજસ્વી યાદવને સત્તાની સોંપી દો. ED અને CBIની કાર્યવાહી બાદ જનતા દળ અને તેમનો આખો પક્ષ પોતાને બચાવવામાં આવી ગયો છે. જેથી નીતિશ કુમારને રાહત અનુભવાઈ રહી છે. સુશીલ મોદીએ દાવો કર્યો કે, નીતિશ કુમાર ઈચ્છે છે કે તેજસ્વી યાદવ જેલ જતા રહે. એમ થવા પર નીતિશ કુમારને વર્ષ 2025 સુધી બિહારના મુખ્યમંત્રીના પદ પર બન્યા રહેવામાં કોઈ પરેશાની નહીં આવે.

તેમના પર રાષ્ટ્રીય જનતા દળના નેતા અલગ-અલગ એંગલથી દબાવ બનાવી રહ્યા હતા કે, રાજીનામું આપીને કેન્દ્રની રાજનીતિ કરો અને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી દો. છાપેમારી બાદ જનતા દળ તરફથી જે કટાક્ષ કરવામાં આવી રહ્યો હતો તે બંધ થઈ ગયો છે. લાલુ પ્રસાદ યાદવ પર EDની છાપેમારીથી નીતિશ કુમારની પાર્ટી જનતા દળમાં વ્યાપેલા અસંતોષને દબાવવમાં પણ નીતિશ કુમારને સફળતા મળી છે.

નીતિશજીએ પોતાની પાર્ટીના નેતાઓને છોડીને તેજસ્વી યાદવને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી દીધા. આ કારણે જનતા દળમાં વિદ્રોહની સ્થિતિ છે. હાલમાં આ વિદ્રોહ પણ ઠંડો પડી ગયો છે કેમ કે તેજસ્વી યાદવની જેલ જવાની સંભાવના વધી ગઈ છે. જો કે, અંદરખાને મુખ્યમંત્રી નીતિશ કુમારનો ઉત્તરાધિકારી માનનારા નેતા ખુશ છે. તેમણે આગળ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે નીતિશ કુમાર અને લલન સિંહ જવાબદાર છે. એ જ લોકોએ બધા કાગળ અને પુરાવા CBIને ઉપલબ્ધ કરાવ્યા હતા. જ્યારે ડૉ. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા, એ સમયે લલન સિંહ અને સ્વર્ગીય શરદ યાદવ વડાપ્રધાનને આવેદનપત્ર આપવા ગયા હતા.

તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લાલુ રેલ મંત્રી રહેતા સતત જમીન લખાવી રહ્યા છે અને તેના બદલામાં લોકોને નોકરી આપી રહ્યા છે. તેમણે તેના પ્રમાણ પણ આપ્યા હતા. માગ કરવામાં આવી હતી કે આ પ્રકારની તપાસ CBI પાસે કરાવવામાં આવે. લાલુ યાદવ મનમોહન સિંહની સરકારના રેલ મંત્રી હતા. એટલે કેસ દબાઈ ગયો. જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ઈમાનદાર સરકાર બની તો કેન્દ્રીય તપાસ એજન્સી ખૂલીને કાર્યવાહી કરી રહી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.