ટી.વી. ડિબેટમાં સ્વામી પ્રસાદ મૌર્ય અને રાજૂ દાસ વચ્ચે થઇ મારામારી

સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય રામચરિતમાનસને લઇને પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ચાલી રહ્યા છે. આ અનુસંધાને એક ટી.વી. કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં રાજૂ દાસ પરમહંસ પણ ઉપસ્થિત હતા, તેમની સાથે તીખી બહેસ શરૂ થઇ ગઇ હતી. ત્યારબાદ એ બહેસના કારણે મારામારી સુધીની નોબત આવી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ડિબેટ દરમિયાન રાજૂ દાસ પરમહંસ એ વાત પર ગુસ્સે ભરાઇ ગયા કે સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા ભગવાન રામનું અપમાન કરવામાં આવ્યું.

આ કારણે ડિબેટ દરમિયાન બંને તરફથી તીખી બહેસ શરૂ થઇ ગઇ. જોત જોતામાં માહોલ વધુ ગરમ થઇ ગયો અને મારામારી સુધીની નોબત આવી ગઇ. રાજૂ દાસ તો દાવો કરી રહ્યા છે કે સ્વામી પ્રસાદ મૌર્યએ તેમને માર્યા છે. આ કારણે તેઓ સ્વામી પ્રસાદ મૌર્ય સામે ફરિયાદ નોંધાવવા જઇ રહ્યા છે. આમ સ્વામી પ્રસાદ મૌર્યએ પણ પોલીસ કમિશનરને ચિઠ્ઠી લખી હતી. તેમણે પોતાની ચિઠ્ઠીમાં જણાવ્યું કે, તાજ હોટલમાં આયોજિત કાર્યક્રમથી નીકળવા દરમિયાન અયોધ્યાના હનુમાનગઢીના મહંત રાજૂ દાસ અને તેમના સમર્થકો દ્વારા તલવાર અને ફરસાથી હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

રિપોર્ટ્સ મુજબ, થોડા દિવસ અગાઉ સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસને લઇને વિવાદિત નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે કરોડો લોકો રામચરિતમાનસ વાંચતા નથી, બધુ બકવાસ છે. તે તુલસીદાસે પોતાની ખુશી માટે લખ્યું હતું. સ્વામીપ્રસાદ મૌર્ય અહીં જ ન રોકાયા, તેમણે કહ્યું કે, સરકારે તેને ધ્યાનમાં લેતા રામચારિતમાનસના જે આપત્તિજનક અંશ છે, તેને બહાર કરી દેવા જોઇએ કે, પુસ્તક પર જ પ્રતિબંધ લગાવી દેવો જોઇએ.

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સવાલ ઉઠાવતા એમ પણ કહ્યું હતું કે, બ્રાહ્મણ ભલે લંપટ, દુરાચારી, અભણ હોય, પરંતુ તે બ્રાહ્મણ છે તો તેને પૂજનીય બતાવવામાં આવ્યા છે, પરંતુ શુદ્ર ગમે એટલા જ્ઞાની, વિદ્યાવાન કે પછી જાણકાર હોય, તેનું સન્માન ન કરો, શું આ જ ધર્મ છે? આ એક નિવેદનના કારણે સ્વામી પ્રસાદ મૌર્ય પર ઘણા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેને મોટો મુદ્દો બનાવ્યો હતો અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.