રામભદ્રાચાર્ય કહે છે- જાતિ પર વોટ નહીં મળે, રામ-કૃષ્ણની વાત કરશે એ જ રાજ કરશે

ચિત્રકૂટના તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના જાતિ ગણતરીના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે બંને નેતાઓને સલાહ આપતા કહ્યું કે, જાતિના આધારે વોટ મળવાના નથી. જે રામ અને કૃષ્ણની વાત કરશે એજ રાજ કરશે. તેમણે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ પર હિંદુઓને વહેંચવાનો આરોપ પણ લગાવ્યો છે. ચંપારણમાં રામકથા દરમિયાન તેમણે આ વાત કહી.

રામનગરના અર્જુન વિક્રમ શાહ સ્ટેડિયમમાં તેમણે રામકથાની શરૂઆત મંગળવારે કરી. રિપોર્ટ અનુસાર તેમણે પોતાના પ્રવચનમાં જાતિ ગણનાને લઇ બિહાર સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેજસ્વી યાદવની જાતિગણના નીતતિ હિંદુઓમાં ત્રિરાડ પાડવાની છે. આ લોકોને કોણ સમજાવે કે હિંદુઓને જાતિના આધારે વહેંચી શકાય નહીં.

તેમણે કહ્યું કે, દેશને જાતિના આધારે વહેંચવાની નીતિ ક્યારે પણ સફળ થશે નહીં. જાતિના આધારે વોટ મળશે નહીં. હવે તો કામ કરનારાઓને જ વોટ મળશે. સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું કે, જે રામ-કૃષ્ણની વાત કરશે તે જ ભારત પર રાજ કરશે. ચૂંટણીના માહોલમાં સ્વામીનું આ નિવેદન હવે રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.

રામભદ્રાચાર્યે પોતાના પ્રવચનમાં કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ આપણા આદર્શ છે. હજારો વર્ષો પહેલા તેમણે સમાજમાં જે આદર્શ સ્થાપિત કર્યા તે આજે પણ લોકો માટે પ્રેરણાદાયી છે. જ્યારે પણ ધર્મ પર સંકટ આવે છે તો ભગવાન અવતાર લે છે. તેમણે રામચરિત માનસ અને વેદોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વેદ કશે અને ક્યારેય પણ સનાતન હિંદુ ધર્મને ભેદ કરતા નથી. તેમાં બધાં એકસમાન છે.

તેમના આ નિવેદન પછી બિહારનું રાજકારણ ગરમાયું છે. એકબાજુ ભાજપાએ તેમના આ નિવેદનનું સમર્થન કર્યું તો બીજી બાજુ મહાગઠબંધન નેતાએ તેમના નિવેદન બહાને એ સલાહ આપતા દેખાયા કે, સંતનું કામ પૂજાપાઠ કરવાનું છે, રાજકારણ કરવાનું નથી. તો RJD ધારાસભ્ય વિરેન્દ્ર કહે છે કે, કોઇપણ ધર્મ પ્રચારક કે સાધુ મહાત્માએ આ બધી વાતોથી દૂર રહેવું જોઇએ અને આ પ્રકારના રાજકારણમાં ભાગ લેવો જોઇએ નહીં. રામ હોય કે કૃષ્ણ કે ખુદા...કોઇપણ જાતિના કે ધર્મના હોય કોઇ એક માટે નથી. આ બધા માટે છે. આ રીતના નિવેદનથી સાધુ મહાત્માએ દૂર રહેવું જોઇએ.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.