બાબા રામદેવનો લવ જિહાદ પર દાવો, કહ્યું- બ્રાહ્મણની છોકરી લાવે તો 10 લાખ આપે છે

યોગગુરુ રામદેવ રાજકારણ, લવ જિહાદ, બિઝનેસ એવા અનેક વિષયો પર પોતાના અભિપ્રાય વ્યકત કરતા રહે છે. તાજેતરમા એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ઇસ્લામ, સનાતન, લવ જિહાદ અને વિપક્ષી એકતા જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. જો કે તેમણે કહ્યું કે હવે મેં બોલવાનું ઓછું કરી દીધું છે અને કામ કરવાનું વધારી દીધું છે. સ્વામી રામ દેવે લવ જિહાદ પર કહ્યું કે,ધર્મ કોઈ પણ વ્યક્તિ માટે ધ્રુવીકરણનો વિષય છે. ઘણા લોકો વંશીય, રાજકીય અને સામાજિક રીતે ધ્રુવીકરણ કરી રહ્યા છે. આ લોકો બંધારણીય ગુનો કરી રહ્યા છે.

ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામી રામદેવે દાવો કરતા કહ્યું હતું કે કેટલાંક લોકો નામ બદલીને લગ્ન કરી રહ્યા છે. બાબાએ કહ્યું કે, જો તમે બ્રાહ્મણના ઘરની છોકરી ભગાડીને લાવો તો 10 લાખ રૂપિયા આપે છે, જો તમે રાજપુત અને OBC વર્ગની દીકરી ભગાડીને લાવો તો 5 લાખ રૂપિયા મળે છે. લગ્ન કરીને પછી કહે છે કે તમે ઇસ્લામની શરણમાં આવી જા, કારણકે તમે બદનામ થઇ ચૂક્યા છો. જો યુવતી વાત નહીં માને તો ટુકટે ટુકડા કરી નાંખવામાં આવે છે. બાબા રામદેવે કહ્યુ કે ધર્મ પરિવર્તન હવે એક ધંધાની જેમ ચાલે છે. અમારા સનાતન ધર્મમમાં કોઇને પણ લાલચ આપીને ધર્મ બદલવાનું કહેવામાં આવતું નથી.

જ્યારે સ્વામી રામદેવને પુછવામાં આવ્યું કે તમે જુદા જુદા મુદ્દા પર કેમ નથી બોલતા? તો બાબાએ કહ્યું કે જ્યારે બોલું છું તો લોકો કહે છે કે, તમે બહુ વાચાળ છો. જ્યારે હું નથી બોલતો તો લોકો કહે છે કે બું મૌન થઇ ગયો છું. આ બધા કારણોને લીધે હવે મેં બોલવાનું ઓછું કરી દીધું છે અને કામ કરવાનું શરૂ કર્યું છે.

મુખ્યમંત્રી નિતીશ કુમારે બિહારના પટનામાં 23 જૂને બોલાવવામાં આવેલી બેઠક વિશે બાબા રામદેવે કહ્યું હતું કે વિપક્ષે હમેંશા સક્રીય રહેવું જોઇએ, તેને કારણે જ લોકતંત્ર જીવતું છે. તેમણે કહ્યું કે, એટલે પક્ષ અને વિપક્ષ મજબુતીથી લડશે, પરંતુ અત્યારે દેખાઇ રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીનો કોઇ મુકાબલો નથી.

શું રાહુલ ગાંધી PM મોદીનો મુકાબલો કરી શકશે? એવા સવાલના જવાબમાં સ્વામી રામદેવે કહ્યું હતું કે હું કોઇનું નામ નથી લઇ રહ્યો. ભારતીય રાજકારણમાં 100 એવા મોટા ચહેરાં છે, જેમને હું વ્યકિતગત રીતે જાણું છું. પરંતુ વિપક્ષ પાસે ક્રાઇસીસ તો છે જ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકારણમાં એક બ્રાન્ડ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.