પૈસા લો ધર્મ બદલો…લંડનથી કરવામાં આવતું હતું યુનિવર્સિટી ચાન્સેલરને ફંડિંગ

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક કથિત ગેરકાયદેસર ધર્માંતરણ કેસમાં પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની આઠ મહિનાની તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મ પરિવર્તન માટે આર્થિક રીતે નબળા લોકોને લાલચ આપવામાં આવી હતી. આ માટે વિદેશમાંથી ફંડિંગ આવતું હતું. પોલીસે આ મામલે પ્રયાગરાજ નૈની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના કુલપતિ સહિત ચારને નોટિસ ફટકારી છે અને તેમના નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધર્મ પરિવર્તનની રમતમાં એક મોટું નેટવર્ક સક્રિય છે. ચર્ચમાં આવતા ફંડની તપાસ કરવામાં આવી છે. તેમના ખાતાની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે વિદેશી સંસ્થાઓ તેમને પૈસા આપી રહી હતી. આ તપાસ દરમિયાન, પ્રયાગરાજની નૈની કૃષિ યુનિવર્સિટીના ચાન્સેલર વિનોદ બિલાલ અને વાઇસ ચાન્સેલર આરબી લાલને નોટિસ મોકલીને 29 ડિસેમ્બરે તેમનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સાથે પ્રયાગરાજ બાઈબલ સેરેમની બેલી હોસ્પિટલ પાસે રહેતા બિશપ મિસ્ટર પોલ, એગ્રીકલ્ચર ઈન્સ્ટિટ્યૂટ (સિયાટસ)ના જેટી ઓલિવરનું પણ નિવેદન નોંધવામાં આવશે.

પોલીસનો દાવો છે કે આ તમામ ખાતાઓમાં લંડનથી પૈસા મોકલવામાં આવ્યા હતા. આ પછી તેણે આ પૈસા ચર્ચની સંસ્થાને ઉપલબ્ધ કરાવ્યા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે જો આ લોકો દોષી સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમનું નિવેદન નોંધવા માટે કોઈપણ હાલાતમાં તેઓએ પોલીસ સમક્ષ હાજર રહેવું પડશે.

પોલીસના જણાવ્યા અનુસાર, ચર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓ એક મિશન હેઠળ ધર્મ પરિવર્તનનું કામ કરી રહી છે. જોકે, મિશનરીના લોકોએ પોલીસના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી પોલીસ એક પણ એવી વ્યક્તિને આગળ લાવી શકી નથી જેનું ધર્મ પરિવર્તન થયું છે. જણાવી દઈએ કે આ સમગ્ર મામલાની તપાસ ATS ની દેખરેખમાં થઈ રહી છે.

હરિહરગંજના ઇવેન્જેલિકલ ચર્ચમાં હિન્દુ સંગઠનોએ ગઈ 15 એપ્રિલના રોજ સામૂહિક ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે ચર્ચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસે આ મામલે કેસ નોંધીને 54 લોકો સામે કેસ નોંધ્યો છે. આ કેસમાં ચર્ચના પાદરી સહિત 15 લોકો જેલમાં ગયા છે. 36એ અગ્રિમ જામીન મેળવ્યા છે અને ત્રણ ફરાર છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.