ભિખારીએ કોરોના બાદ CM રાહત કોષમાં આપ્યા 50 લાખ રૂપિયા

On

મોટા ભાગના ધર્મોમાં દાનને સૌથી મોટા ગુણોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો છે જે દાનમાં મળેલા ધનને પણ દાન કરે છે. એવી જ રીતે તામિલનાડુના એક 72 વર્ષીય ભિખારી પૂલપાંડિયને CM રાહત કોષમાં અત્યાર સુધી 50 લાખ રૂપિયા દાન કરીને મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. તામિલનાડુના તૂતૂકડી જિલ્લાના રહેવાસી ભિખારી પૂલપાંડિયને મે 2020માં પહેલી વખત CM રાહત કોષમાં 10 હજાર રૂપિયા દાન કર્યા હતા.

ત્યારબાદ તેણે ઘણા જિલ્લામાં ભીખ માગી. દરેક જિલ્લામાં તેણે જિલ્લા અધિકારીની ઓફિસ જઈને 10 હજાર રૂપિયા દાન કર્યા છે. અત્યાર સુધી તે 8 જિલ્લામાં જઈને CM રાહત કોષમાં 10-10 હજાર રૂપિયાનું દાન કરી ચૂક્યો છે. તેણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે પરિવારમાં એકલો છે. ભિક્ષાથી મળેલા પૈસા તેની જરૂરિયાતથી વધારે છે. તો તે તેને દાન કરી દે છે. પૂલપાંડિયને કહ્યું કે તેનો પરિવાર નથી. તે પોતાના પરિવારમાં એકલો છે. હું જે જિલ્લામાં જાઉ છું. ત્યાં ભિક્ષાથી જે પૈસા મળે છે, તેને એ જ જિલ્લામાં જિલ્લા અધિકારીની ઓફિસમાં જઈને ગરીબોની સહાયતા માટે પૈસા દાનમાં આપી દઉં છું. ત્યારબાદ બીજા જિલ્લા તરફ જાઉં છું.

તેણે આગળ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં તેણે અત્યાર સુધી 50 લાખ રૂપિયા દાન કર્યા છે. પૂલપાંડિયનના જણાવ્યા મુજબ તેનો એક મોટો પરિવાર હતો. વર્ષ 1980માં તે પોતાના પરિવાર સાથે મુંબઈ જતો રહ્યો હતો. અહીં તેણે પોતાના પરિવારનુા ભરણ-પોષણ માટે નાની મોટી નોકરી શરૂ કરી, જેમાં 2 ટંકનું ભોજન મળવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. પરિવાર મુશ્કેલીમાં આવી ગયો હતો. એવી પરિસ્થિતિ વચ્ચે 24 વર્ષ અગાઉ તેની પત્ની સરસ્વતીનું નિધન થઈ ગયું હતું.

પૂલપાંડિયને આગળ જણાવ્યું કે, પત્નીના નિધન બાદ તેણે બાળકોનું પાલન-પોષણ કર્યું. તેમના લગ્ન કર્યા. ત્યારબાદ તે તામિલનાડુ જતો રહ્યો. તેના બાળકોએ તેની દેખરેખ કરવાની ના પાડી દીધી. એવામાં તેણે ભીખ માગીને ગુજરાન ચલાવવું પડ્યું. દિવસ વિતતા ગયા અને પૂલપાંડિયન પોતાની જરૂરિયારોને ઓછી કરતા ગયા. આ કારણે તે શિક્ષણ માટે, કોવિડ રીલિફ ફંડ, શ્રીલંકન તામિલ અને CM રીલિફ ફંડમાં પૈસા દાન કરી ચૂક્યો છે. તેણે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન મદુરાઇના જિલ્લા પ્રશાસનની મદદથી રીલિફ ફંડમાં 90 હજાર રૂપિયા દાન કર્યા. આ દાન તેણે 10-10 હજાર રૂપિયાના 9 હપ્તામાં કર્યું. પૂલપાંડિયનના આ ઝનૂનને જોતા જિલ્લા પ્રશાસને તેને સ્વતંત્રતા દિવસના અવસર પર સન્માનિત પણ કર્યો.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.