બહેનપણી સાથે લગ્ન કરવા માગતી હતી યુવતી, છોકરો બનવા તાંત્રિક પાસે ગઈ અને...

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બે બહેનપણીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ બન્યા બાદ તાંત્રિકે તંત્ર મંત્રથી છોકરો બનાવવાની લાલચ આપીને એક બહેનપણીની હત્યા કરી દીધી. તાંત્રિકે યુવતીને જંગલમાં લઇ જઇને ઘાસ કાપવાના ઓજારથી ગરદન કાપીને તેની હત્યા કરી દીધી. પોલીસે આરોપી તાંત્રિક અને તેની સમલૈંગિક બહેનપણીની ધરપકડ કરી લીધી છે. શાહજહાંપુરના આરસી મિશન ક્ષેત્રમાં રહેતી 30 વર્ષીય પ્રિયાની પુવાયાંમાં રહેતી 24 વર્ષીય પ્રીતિ સાથે મિત્રતા થઈ ગઈ હતી. બાદમાં બંને વચ્ચે સમલૈંગિક સંબંધ બની ગયા.

પ્રીતિની બહેનપણી પ્રિયા છોકરાઓ જેવો વ્યવહાર કરતી હતી. તેની સમલૈંગિક બહેનપણી પ્રીતિને આ બધુ પસંદ હતું. બંને બહેનપણીની મિત્રતાના કારણે પ્રીતિના લગ્ન થઈ રહ્યા ન હતા. એવામાં પ્રીતિ અને તેની મમ્મી ઉર્મિલાએ મળીને એક પ્લાન બનાવ્યો. બંને મા-દીકરીએ મળીને તાંત્રિક રામનિવાસ સાથે મુલાકાત કરી અને પ્રિયાને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી. પોલીસે કહ્યું કે, ત્યારબાદ પ્રીતિએ તાંત્રિકને જણાવ્યું કે તે છોકરો બનવા માંગે છે આથી તેની મમ્મીએ તાંત્રિક સાથે દોઢ લાખ રૂપિયામાં તેને છોકરો બનાવવાનો સોદો નક્કી કરી દીધો.

એક દિવસ પ્રીતિએ પોતાની બહેનપણીને બોલાવી અને કહ્યું કે, તાંત્રિક તને છોકરો બનાવી દેશે. ત્યારબાદ બંને બહેનપણીઓ ઘરેથી તાંત્રિક પાસે ચાલી ગઈ. જ્યારે પ્રિયા પાછી ઘરે ના આવી તો પરિવારજનોએ તેને શોધી અને પછી પોલીસ સ્ટેશનમાં તેના ગૂમ થવાની ફરિયાદ દાખલ કરાવી. પોલીસને તપાસમાં સર્વેલાન્સ દ્વારા જાણકારી મળી કે પ્રિયાની વાત તાંત્રિક અને તેની બહેનપણી પ્રીતિ સાથે થઈ હતી.

પોલીસે તાંત્રિક રામનિવાસને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી તો તેણે જણાવ્યું કે, પ્રિયાને છોકરો બનાવવા માટે બોલાવી અને ખીરીના જંગલમાં લઇ જઇને નદીના કિનારે તેને આંખો બંધ કરીને સુવા માટે કહ્યું. પછી ઘાસ કાપવાના હથિયારથી એક ઝટકામાં તેની ગરદન કાપી નાંખી. પોલીસે આરોપી તાંત્રિક રામનિવાસ અને પ્રીતિની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા. મૃતક પ્રિયાના દાગીના અને હથિયાર પણ પોલીસે તાંત્રિકના ઘરેથી જપ્ત કરી લીધા છે.

પોલીસે જણાવ્યું કે, 26 એપ્રિલે પોલીસ સ્ટેશનમાં આરસી મિશનમાં રહેતા એક વ્યક્તિએ સૂચના આપી કે તેની બહેન ઘરેથી ગૂમ થઈ ગઈ છે અને તેનો મોબાઇલ પણ બંધ છે. આ સંબંધમાં ગૂમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી. તપાસમાં જે ઇનપુટ મળ્યા અને સર્વેલાન્સથી જે ડેટા ડેવલપ કરવામાં આવ્યા, તેના આધાર પર પોલીસને જાણકારી મળી કે, લખીમપુરના મિયાપુર ક્ષેત્રમાં યુવતીનું હત્યા કરેલું શવ પડ્યું છે. તે સૂચનાના આધાર પર પોલીસ મૃતકના ભાઈને લઇને ઘટના સ્થળે પહોંચી અને ત્યાં તપાસ કરી.

પોલીસને ત્યાં સર વિનાનું કંકાલ મળ્યું, તેની પાસે એક કપડું મળ્યું. કપડાંના આધારે યુવતીના ભાઈએ પોતાની બહેન હોવાની પુષ્ટિ કરી. મામલામાં મૃતકના ભાઈએ ત્રણ લોકો રામનિવાસ જે લખીમપુરમાં રહે છે, સાથે જ ઉર્મિલા અને તેની દીકરી પ્રીતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી. તેના આધારે પોલીસે કેસ દાખલ કરી રામનિવાસની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેનું ઉર્મિલા અને પ્રીતિના ઘરમાં આવવા-જવાનું હતું, તે તાંત્રિક છે. બંને આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.