માતાજીની મૂર્તિમાંથી અચાનક આંસુ નીકળ્યા, ચમત્કાર ગણી ભક્તોની ભીડ ઉમટી

On

દમોહ જિલ્લા મુખ્યાલયથી 35 કિલોમીટર દૂર હટા બ્લોકના લુહારી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ગામમાં અંજની માતાનું મંદિર છે, જેમાં અંજની માતાની મૂર્તિની ન માત્ર આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેમાંથી આંસુ નીકળવા લાગ્યા, જેને જોઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. એટલું જ નહીં નવરાત્રિ પહેલા માતાની આંખમાંથી નીકળતા આંસુને ચમત્કાર માનીને મંદિર પરિસરમાં સંગીત અને સંકીર્તનનો પર્વ પણ શરૂ થયો છે.

કલયુગમાં ભલે લોકો તેને એક ચમત્કાર તરીકે જોઈ રહ્યા હોય, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ કેટલાક લોકો તેને બાષ્પીભવન સાથે પણ જોડી રહ્યા છે. પરંતુ ક્યારેક આવા આશ્ચર્ય પણ થાય છે, જેને જોઈને વિજ્ઞાન પણ ઘૂંટણિયે પડી જાય છે.

માતા અંજની દેવીના મંદિરમાં સ્થાપિત પ્રતિમાની ભીની આંખોમાંથી સતત આંસુ ટપકતા રહે છે. માતા અંજનીની આંખો ભીની થઈ જવાના સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. ત્યાર પછી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તો મંદિરે પહોંચવા લાગ્યા. મા અંજનીના ભક્તોનું માનવું છે કે, મા અંજનીની આંખમાંથી સતત આંસુ વહે છે. આનો અર્થ એ છે કે તે કોઈ મોટી અમંગળ ઘટનાનો સંકેત આપી રહી છે. વૈજ્ઞાનિકો ભલે ગમે તે કહે, પરંતુ આ આંસુ સંપૂર્ણપણે માતાનો ચમત્કાર છે.

મંગળવારની સવારે લોકો માતાના દર્શન કરવા અને પૂજા કરવા મંદિરે પહોંચ્યા કે, તરત જ તેમાંથી એક ભક્ત હેમરાજે ધ્યાનથી જોયું કે હજુ સુધી કોઈએ મૂર્તિને પાણી પણ ચડાવ્યું નથી, છતાં માતા અંજનીના વસ્ત્રો કેવી રીતે ભીના થયા? જે પછી તેણે જોયું કે મૂર્તિની આંખોમાંથી ટીપું- ટીપું આંસુ પડી રહ્યા હતા.

આ પછી માતાના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ મંદિરમાં ભજન કીર્તન મંડળી સાથે પહોંચવા લાગી હતી. એટલું જ નહીં અંજની માતાના આંસુનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ અંગે રાણી દમયંતી પુરાતત્વ સંગ્રહાલયના સુરેન્દ્ર ચૌરસિયા કહે છે કે, જો પ્રતિમા પ્રાચીન હોય તો તે તેમના રેકોર્ડમાં નોંધવામાં આવે છે, પરંતુ જો પ્રતિમા નવી હશે તો બાષ્પીભવનને કારણે પાણીનું એક ટીપું બહાર આવી શકે છે. અન્ય લોકોની શ્રદ્ધાનો પ્રશ્ન એ છે કે, તેઓ તેને કેવી રીતે જુએ છે. જો આ પ્રતિમા પ્રાચીન હોત તો તેને સાચવવામાં આવી હોત અને તેની માહિતી તેમના રેકોર્ડમાં હોત. શ્રદ્ધા વિશે કંઈ કહી શકાય નહીં, બાકી બાષ્પીભવન એક કારણ હોઈ શકે છે, જેમાં પાણીના ટીપાં બહાર આવી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, દર મંગળવારે ભક્તોની ખાસ ભીડ લોહારી ગામથી 2 કિલોમીટર આગળ ખેતરોમાં બનેલા અંજની માતાના મંદિરે પહોંચે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન અને આસપાસના વિસ્તારોમાં પ્રખ્યાત છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.