તીસ્તા સીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી

સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ તેમને નિયમિત જામીન આપ્યા છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, સીતલવાડ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયાસો ન કરશે અને તેમનાથી દૂર રહેશે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આ આદેશને રદ કર્યો, જેમાં તેમના નિયમિત જામીન રદ કરી દેવામાં આવ્યા હતા અને તેમને તરત સમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તીસ્તા સીતલવાડ પર ગુજરાત રમખાણોના કેસમાં ખોટા દસ્તાવેજો દાખલ કરીને કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

1લી જીલાઇના રોજ ગુજરાત હાઇકોર્ટે તીસ્તા સીતલવાડના નિયમિત જામીન રદ કરીને તેમને સરેન્ડર કરવા માટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે એ જ દિવસે તેના પર રોક લગાવી દીધી હતી અને હવે બુધવારના રોજ તેમને નિયમિત જામીન આપી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે અને તેમને હિરાસતમાં લઇને પુછપરછ કરવામાં આવી રહી છે, તેથ તેમને જામીન મળવા જોઇએ.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, સીતલવાડને 2જી ડિસેમ્બર, 2022થી સતત જામીન પર જ માનવામાં આવશે. સાથે જ સાક્ષીઓને પ્રભવિત ન કરશે. કોર્ટે કહ્યું કે, જો તેઓ આમ કરશે તો અભિયોજન પક્ષ જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ જઇ શકે છે.

25મી જૂન, 2022ના રોજ ગુજરાત પોલીસે તીસ્તા સીતલવાડની ધરપકડ કરી હતી. 2જી સપ્ટેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને અંતરિમ જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે તીસ્તા સીતલવાડને નિયમિત જામીન માટે નીચલી કોર્ટ કે ગુજરાત હાઇ કોર્ટ જવા માટે કહ્યું હતું. જ્યારે, ગુજરાત હાઇ કોર્ટે પોલીસ તરફથી રજૂ થયેલા પૂરાવાને જોતા તીસ્તાને નિયમિત જામીન આપવા માટે ના પાડી દીધી હતી. પોલીસે કહ્યું હતું કે, તીસ્તાએ તત્કાલીન રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે કોર્ટમાં બનાવટી પૂરાવાઓ રજૂ કર્યા અને સાક્ષીઓના પણ ખોટા દસ્તાવેજો દાખલ કરાવ્યા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.