બિહારના મંત્રી તેજપ્રતાપને UPની હોટેલે અડધી રાતે હોટેલમાંથી બહાર કાઢ્યા, સામાન..

બિહાર સરકારના મંત્રી લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ સાથે ગેરવર્તન અને સુરક્ષા ભંગનો એક મોટો મામલો વારાણસીમાં સામે આવ્યો છે. વારાણસીમાં મોડી રાત્રે કેન્ટ વિસ્તારમાં આવેલી એક હોટલ મેનેજમેન્ટે હોટલના રૂમમાંથી તેજ પ્રતાપ યાદવનો રૂમ તેમની પરવાનગી વગર ખોલ્યો હતો. આ સિવાય બાજુના રૂમમાં રહેલા સુરક્ષાકર્મીઓ અને સહાયકોનો સામાન બહાર કાઢીને રિસેપ્શન કાઉન્ટર પર રાખવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ હોટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેજ પ્રતાપે પણ હોટલ મેનેજમેન્ટના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી હતી. સહાયકોએ આ ઘટનાને તેજ પ્રતાપની સુરક્ષામાં ખામી ગણાવી હતી. હંગામા બાદ તેજ પ્રતાપને શુક્રવારે મોડી રાત્રે જ હોટલમાંથી બહાર જવું પડ્યું હતું. તેજ પ્રતાપના સહાયકોએ આ મામલે સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

વાસ્તવમાં બિહાર સરકારના મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ શુક્રવારે વારાણસી પહોંચ્યા હતા. તેઓ સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારના કેન્ટ વિસ્તારમાં આવેલી હોટલના રૂમ નંબર 206માં રોકાયા હતા. તેમના સુરક્ષા કર્મચારીઓ અને અંગત સહાયકો પાસે રૂમ નંબર 205 હતો. એક દિવસ માટે રૂમો લેવામાં આવ્યા હતા.

તેજ પ્રતાપ શુક્રવારે સવારે અસ્સી ઘાટ પહોંચ્યા અને બોટ દ્વારા જઈને ગંગા આરતીમાં ભાગ લીધા બાદ હોટેલ પરત ફર્યા. અહીં આવીને તેને ખબર પડી કે, હોટેલ મેનેજર તેની ગેરહાજરીમાં તેના રૂમમાં ઘુસ્યા હતા. તેમજ રૂમ નંબર 205માં રહેતા સ્ટાફનો સામાન રૂમમાંથી કાઢીને રિસેપ્શન કાઉન્ટર પર રાખવામાં આવ્યો હતો. તેજ પ્રતાપે આના પર નારાજગી વ્યક્ત કરી અને શુક્રવારે મોડી રાત્રે જ હોટલ છોડી દીધી.

તેજ પ્રતાપના અંગત સહાયકો વિશ્વાસ યાદવ અને વિશાલ સિન્હાનું કહેવું છે કે, આ દરમિયાન મંત્રી તેજ પ્રતાપના સ્ટાફમાં સામેલ વ્યક્તિ રૂમમાં હાજર હતો, તેને પણ રૂમની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેજ પ્રતાપના અંગત સહાયકોએ હોટેલ મેનેજર વિરુદ્ધ સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે, આ ઘટના મંત્રી તેજ પ્રતાપની સુરક્ષામાં ખામી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે, આર્કેડિયા હોટલમાંથી તેમને જાણ કર્યા વિના હોટલના મેનેજરે તેમની સુરક્ષામાં લાગેલા જવાનોનો સામાન રૂમમાંથી કાઢીને રિસેપ્શન કાઉન્ટર પર રાખ્યો હતો. આ સિવાય તેઓ તેજ પ્રતાપ યાદવના રૂમમાં પણ ગયા અને તેમનો સામાન બહાર કાઢ્યો. જેના કારણે તેજ પ્રતાપ યાદવ ખૂબ જ નારાજ હતા. અહીં જણાવી દઈએ કે, તેજ પ્રતાપ યાદવ અંગત ટૂર પર વારાણસી આવ્યા હતા અને નાઈટ વોક માટે અસ્સી ઘાટ ગયા હતા, પરંતુ જ્યારે તેઓ હોટેલ પરત ફર્યા તો તેઓ ચોંકી ગયા.

આ મામલામાં સિગરા પોલીસ સ્ટેશનના પ્રમુખ રાજુ સિંહે જણાવ્યું કે, તેમના સહાયક તરફથી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આ મામલે હોટલ મેનેજરની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે, તેમનું બુકિંગ ક્યાં સુધી થયું હતું. આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર પછી આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.