લાલુના કૌભાંડોની ફાઇલ CBIએ ફરી ખોલી તો તેજસ્વીએ મીડિયા સામે કહ્યું..

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ IRCTC કૌભાંડમાં CBIએ ફરી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તો આ મુદ્દે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરી હતી. 

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ IRCTC કૌભાંડમાં CBIએ ફરી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે CBIએ અગાઉ પણ આ મામલે તપાસ કરી છે. મારું અને લાલૂજીનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. એકવાર શું 10 વાર તપાસી લો પરંતુ મને કોઈ ફરક પડતો નથી. અમે આ મુદ્દે અનેકવાર નિવેદન નોંધાવ્યા છે. ED, CBIના તમામ સવાલોના જવાબ મેં આપી દીધા છે.

બીજેપી નેતા નિત્યાનંદ રાય દ્વારા 2024માં મહાગઠબંધનનો સફાયો કરવાના મામલે તેજસ્વીએ કહ્યું કે નિત્યાનંદ રાયને જાણકારી નથી. તેમને એક જિલ્લા વિશે જ જાણકારી હશે. સમગ્ર બિહારની સમજ તેમની પાસે નથી.

તો આ મુદ્દા પર BJPના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ લોકોએ ગેરકાયદેસર કમાણીથી દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં મકાન ખરીદ્યું હતું. કાળા ધનના માધ્યમથી તે મકાન ખરીદાયું હતું. CBI જ્યારે પણ તપાસ કરે છે ત્યારે તે મજબૂત પુરાવાના આધારે તપાસ કરે છે. લાલૂ પરિવારે સત્તાનો દુરુપયોગ કર્યો છે. આજે તેનું જ પરિણામ છે કે તેનું આખું જીવન જેલમાં વીત્યું. જે જેવું કરશે, તેને તેવું જ પરિણામ મળશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.