દુનિયાની સૌથી વધુ ઊંચાઈએ સ્થિત તુંગનાથ મહાદેવનું મંદિર નમી રહ્યુ છે,10 ડિગ્રી...

રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું તુંગનાથ મંદિર દુનિયામાં દરિયાની સપાટીથી સૌથી ઉપર આવેલું ઊંચું શિવાલય છે. પંચ કેદારમાં ગણાતા ત્રીજું તુંગનાથ મંદિર 5 થી 6 ડિગ્રી નમી ગયું છે, જ્યારે મંદિરની અંદરની સ્થાપિત મૂર્તિઓ અને એસેમ્બલી હોલમાં 10 ડિગ્રી સુધી નમી ગયું છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ આ સંબંધમાં ASIને પત્ર મોકલ્યો છે. 

જેમાં મંદિરનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી બને તેટલી વહેલી તકે મંદિરની સુરક્ષિત જાળવણી કરવાનું કહેવામાં આવ્યું છે. મંદિરના વડા રામ પ્રસાદ મૈથાનીનું કહેવું છે કે, વર્ષ 1991માં આવેલા ભૂકંપ અને સમયાંતરે કુદરતી આફતોની મંદિર પર ભારે અસર થઈ છે. વર્ષ 2017-18માં ASIએ મંદિરના સર્વેક્ષણ માટે કાચની સ્લાઈડો પણ લગાવવામાં આવી હતી. હવે વિભાગે એક રિપોર્ટ બહાર પાડીને કહ્યું છે કે, મંદિરમાં ઝુકાવ આવી ગયો છે. 

1991ના ઉત્તરકાશી ભૂકંપ અને 1999ના ચમોલી ભૂકંપની સાથે, 2012ની ઉખીમઠ દુર્ઘટના અને 2013ની કેદારનાથ દુર્ઘટનાએ પણ આ મંદિરને અસર કરી છે. મંદિરની બહારની દીવાલોમાંથી અનેક જગ્યાએ પથ્થરો વિખરાયેલા છે. એસેમ્બલી હોલની હાલત અત્યંત કફોડી બની છે. તેમજ ગર્ભગૃહનો એક ભાગ નમી ગયો છે. 

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ, અજેન્દ્ર અજયે કહ્યું કે, મંદિર સમિતિ તુંગનાથ મંદિરના સંરક્ષણ અને પ્રચાર માટે સક્ષમ છે. મંદિરના પુનરુત્થાન અંગે જે પણ કામ કરવામાં આવશે, તે ASI અને CBRI અને અન્ય સંસ્થાઓના નિષ્ણાતોની સલાહ પર કરવામાં આવશે. 

અધિક્ષક પુરાતત્વવિદ્, દહેરાદૂન સર્કલ, મનોજ કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, તુંગનાથ મંદિર વિશે જે વાતો કહેવામાં આવી રહી છે, તે સંપૂર્ણપણે પાયાવિહોણી છે. ભૂતકાળમાં એક સર્વે થયો હતો, જેના વિશે મને જાણ નથી. મંદિરના સંરક્ષણ, સંવર્ધન અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઘોષિત કરવા અંગે જે જરૂરી કામગીરી થશે તે કરવામાં આવશે.

તુંગનાથ મંદિર 12800 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત છે. લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની કવાયત ચાલી રહી છે. 

પુરાતત્વ વિભાગના પ્રભારી દેવરાજ સિંહ રૌતેલાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે 27 માર્ચ, 2023ના રોજ પ્રાચીન મંદિર તુંગનાથને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. 

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.