મોરબી બ્રિજ અકસ્માતના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો શું થયું

ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોરબી બ્રિજ તૂટી પડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન પર રહેલા આરોપીઓને આપવામાં આવેલા જામીન રદ કરવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે. ગત ઓક્ટોબર માસના અંતમાં મોરબી જીલ્લાની મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક પુલ અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. આ પછી પોલીસે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરી હતી અને ચાર્ટશીટ દાખલ કરી હતી. આ પૈકીના કેટલાક આરોપીઓને હાઈકોર્ટે અલગ અલગ આધાર પર જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આમાં ટિકિટ વેચનારા આરોપીઓના જામીન રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ D.Y.ચંદ્રચુડ, જસ્ટિસ J.B.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન મોરબીના વકીલની દલીલ સાથે સહમત થઈ ન હતી કે હાઈકોર્ટે આરોપીઓને ખોટી રીતે જામીન આપ્યા હતા. 9મી જૂને CJIએ આરોપી મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયાને હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાની અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, તે માત્ર ટિકિટો વેચતો હતો. મોરબી બ્રિજનો કોન્ટ્રાક્ટ લેનાર કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલને હજુ જામીન મળ્યા નથી. તે મોરબી સબ જેલમાં બંધ છે. તો બીજી તરફ આ કેસની સુનાવણી હવે મોરબી કોર્ટમાં શરૂ થઈ છે. તાજેતરમાં પીડિતોની માંગણી અને આક્ષેપો બાદ સરકારી વકીલે કેસ છોડી દીધો હતો.

સોમવારે તેના આદેશમાં, બેન્ચે કહ્યું, 'અમે બંધારણની કલમ 136 હેઠળ વિશેષ રજા અરજીઓ પર ધ્યાન આપવા માટે વલણ ધરાવતા નથી. તદનુસાર, વિશેષ રજાની અરજીઓ ફગાવી દેવામાં આવે છે.' ગુજરાત હાઈકોર્ટે એ હકીકતની નોંધ લીધી કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પહેલા જ દાખલ થઈ ચૂકી છે. હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું, 'ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે, તેથી અરજદારની ન્યાયિક કસ્ટડીમાં હાજરી જરૂરી નથી, અરજદાર પણ કંપની દ્વારા નિયુક્ત ટિકિટ વહેંચનાર વ્યક્તિ હતો અને તેથી, હું માનું છું કે, તે વિવેકબુદ્ધિથી કરેલો પ્રયોગ હતો તથા અરજદારને નિયમિત જામીન પર મુક્ત કરવાનો એક યોગ્ય નિર્ણય છે.'

ગુજરાત હાઈકોર્ટે પુલ તૂટી પડવાના કેસમાં કેટલાક આરોપીઓને જામીન આપ્યા હતા, ત્યારે કોર્ટે એ હકીકતની નોંધ લીધી હતી કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પહેલા જ દાખલ થઈ ચૂકી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે, તેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં અરજદારની હાજરી જરૂરી નથી. ગત વર્ષે 21 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મોરબી બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી, જેમાં 141 લોકો માર્યા ગયા હતા અને ગુજરાત હાઈકોર્ટને સમયાંતરે તપાસ અને પુનર્વસન સહિતના અન્ય પાસાઓ પર નજર રાખવા જણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.