કાશ્મીરી મુસ્લિમે શોધી હતી અમરનાથ ગુફા, પહેલા એમનો જ પરિવાર કરાવતો હતો યાત્રા

બે વર્ષ પછી અમરનાથ યાત્રા શરૂ થઇ ગઈ છે, ગત બે વર્ષ કોરોનાના કારણે આ યાત્રા પ્રભાવિત થઇ હતી, હવે જ્યારે યાત્રા ફરીથી શરૂ થઇ છે, તો અમે તમને એવી કહાની વિશે જણાવવા જઈએ છે, જે ભાઈચારો, પ્રેમ, કશ્મીરીયત અને સંસ્કૃતિને બતાવે છે. પહેલગામના બાટાકોટ ગામમાં 95 વર્ષના ગુલામ નબી મલિક તે જ પ્રાર્થના કરે છે, જે તે અમરનાથની પવિત્ર ગુફામાં કરતા હતા. બે વર્ષ પછી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે, ત્યારે તેમની યાત્રાએ લઇ જવાની અને તેમના પરિવારની ગુફાની સાથેની જૂની યાદોને ફરી એક વાર રિફ્રેશ કરી હતી, જે તેમના પરદાદા બૂટા મલિકે શોધી હતી.

95 વર્ષના ગુલામ નબી મલિકે 60 વર્ષ સુધી અમરનાથ યાત્રા કરાવી હતી, તેમની પાસે તે ગીફ્ટ પણ છે, જે મહારાજા હરિ સિંહે તેમને પવિત્ર ગુફામાં વર્ષ 1947માં આપ્યુ હતું.

મલિકે અમરનાથ ગુફાની સાથે પોતાના પરિવારના સંબંધો વિશે જણાવતા કહ્યું કે, કેવી રીતે હિંદુઓ અને મુસલમાનોની વચ્ચે સંબંધ વધારે મજબૂત થતા ગયા, જ્યારે વર્ષ 1850માં બૂટા મલિકે પવિત્ર ગુફાને શોધી હતી, જ્યાં કુદરતી રીતે બરફ શિવલિંગના રૂપે જામ્યું હતું. વર્ષ 2005 સુધી મલિક પરિવાર જ યાત્રા કરાવતો હતો પણ અમરનાથ શ્રાઈન બોર્ડે આ પરંપરાને ખતમ કરી દીધી.

ગુલામ નબી મલિક જણાવે છે કે, અંદાજે 70 વર્ષ પહેલા હું રાણીની સાથે યાત્રા પર ગયો હતો, ત્યાં અમે પૂજા કરાવી હતી, રાણીએ અમને ખજૂરથી ભરેલી એક થાળી આપી હતી. મલિક પરિવાર માટે, બૂટા મલિક હજુ પણ શ્રદ્ધેય આત્મા છે અને તેમના વિશે અનેક આધ્યાત્મિક અનુભવ જણાવે છે. મલિક પરિવારનું કહેવું છે કે, વર્તમાન સુરક્ષા નિયમોના પહેલા અનેક યાત્રીઓની યાત્રા પૂરી થતી ન હતી, જ્યાં સુધી તેઓ એમના ઘરે ન આવે.

આ વર્ષે સરકારે સુરક્ષાની વિવિધ વ્યવસ્થાઓ કરી છે, જેથી અહિંયા રહેતા અને પ્રવાસીઓ બંનેને મુશ્કેલીઓ ન થાય. ઘાટીમાં પહેલાથી જ કડક સુરક્ષા વ્યવસ્થા છે, તેના પર અર્ધસૈનિક બળોની 350 વધુની કંપનીઓ યાત્રીઓના સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે, પણ મલિક અને અનેક બીજા કશ્મીરીઓ માટે સુરક્ષા યાત્રા પર હાવી ન થવી જોઈએ. કેમ કે, આ કાશ્મીરની સંસ્કૃતિની એક મિસાલ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.