અમેરિકાના ડેલિગેશનને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવી હતી, પરંતુ...

PC: dnaindia.com

અમેરિકાના પ્રતિનિધિ મંડળની પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી, અમિતાભ સહિતના અનેક લોકો સાથે મુલાકાત કરાવવામાં આવી, પરંતુ રાહુલ ગાંધી સાથે મુલાકાત ન કરવામાં આવી તેનાથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી છે.

સરકારના આમંત્રણ પર અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું અને આ ડેલિગેશનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર અને દેશની અનેક મહાન હસ્તીઓ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત શક્ય ન બની, જ્યારે આ મીટિંગ પહેલીથી નક્કી થયેલી હતી. અમેરિકાના પ્રતિનિધિ મંડળે જ રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી.

કોંગ્રેસના ડેટા એનાલિટિક્સ વિભાગના પ્રમુખ પ્રવીણ ચક્રવતીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, અમેરિકાના પ્રતિનિધિ મંડળે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાની ઇચ્છા વ્યકત કરી હતી અને આ બાબતે રાહુલ ગાંધીની ઓફિસને પણ જાણ કરવામાં આવી હતી. અમેરિકન પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે અમારે ભારતના વિદેશ મંત્રાલયને જાણ કરવી પડશે. જેના જવાબમાં પ્રવીણ ચક્રવર્તીએ કહ્યું હતુ કે તમે બધા અમેરિકાના ચૂંટાયેલા સાંસદો છે તમે ભારતમાં કોઇને પણ મળવા માટે સ્વતંત્ર છો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવ્યા મુજબ,ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે,અમેરિકાથી આવેલા સાંસદો જેમને મળવા માંગતા હતા તેવા અનેક લોકો સાથે મુલાકાત નક્કી કરવામાં આવી હતી. જેમાં ગાંધીજીના પ્રપ્રોત્ર તુષાર ગાંધી, બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અનુપમ ખેર સહિતના અનેક લોકો સામેલ હતા.સૂત્રોએ કહ્યું હતું કે અમેરિકન સાંસદોની કોઇ વિપક્ષી નેતા સાથે મુલાકાત નક્કી નહોતી થઇ.

અમેરિકન સાંસદ આરો ખન્ના સાથે મુલાકાત પછી તુષાર ગાંધીએ ટ્વીટ કરીને  આરો ખન્નાને ભારતની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે અત્યારે ભારત નફરત, વિભાજન અને હિંસાની ખાઇમાં ધકેલાઇ રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે આરઓ ખન્નાએ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી, પરંતુ રાહુલ ગાંધી સાથે મુલાકાત ન કરાવવામાં આવી. પરંતુ તેમણે JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદના પિતા અને હિંસા પ્રભાવિત મણિપુરના કેટલાંક પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરાવી હતી.

આરો ખન્ના યુએસ કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિમંડળના ચાર વખત સભ્ય છે. તે સિલિકોન વેલીથી આવે છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ખન્ના અને કેટલાક અન્ય યુએસ સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp