બાઇકનું 86 વખત ચલણ કપાયું, બાઇકની કિંમત કરતા 3 ગણો દંડ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ટ્રાફિક નિયમો તોડનારાઓએ ચેતી જવાની જરૂર છે. ઘણી વખત ચલણ કપાયા છતાં ટ્રાફિક નિયમો તોડનારાઓને હવે પોલીસ છોડશે નહીં. ન સુધરશો તો કાયદાકીય પણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ એવા લોકો પર વોચ રાખી રહી છે. ટ્રાફિક પોલીસ હવેથી તેવા લોકો વિરૂદ્ધ કડક પગલા ભરવા જઇ રહી છે. એવામાં જ શહેરમાં બાઇક ચાલક એજાઝ અલીનું 86 વખત ચલણ કપાયું છે. કુલ 1,72,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તેમ છતાં આરોપીએ દંડ નથી ભર્યો. લખનૌ પોલીસે હવે 484 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમના ઉપર 10 વખત નિયમ તોડવાનો આરોપ લાગ્યો છે.

પોલીસનું કહેવું છે કે, આ દંડનો કોઇ મતલબ નથી. આ લોકોએ અત્યાર સુધી દંડ નથી ભર્યો. એવામાં ટ્રાફિક પોલીસે આવા આરોપીઓને પોલિસ સ્ટેશનમાં બોલાવવાનો નિર્ણય લીધો છે. જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરીને નિયમોનું પાલન કરવાનો પાઠ ભણાવવામાં આવશે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, 484 લોકોમાં 86 મહિલાઓ છે. જેમનું 10 વખત ચલણ કપાયું છે. એજાઝ અલીનું 86 વખત ચલણ કપાયું છે. તેના પર 1,72,000 રૂપિયાનો દંડ બાકી છે. મહિલાઓમાં રીમા જયસવાલ પર 52 વખત રોંગ સાઇડ ગાડી ચલાવવાનું ચલણ કપાયું છે. ટ્રાફિક વિભાગનો નિયમ છે કે, યાતાયાત નિમય તોડવા પર જો કોઇનું ત્રણ કે તેથી વધુ ચલણ કપાય છે તો તેને ત્રણ મહિના માટે નિલંબિત કરી દેવામાં આવશે. આંકડા અનુસાર, જે લોકોની ઓળખ કરવામાં આવી છે. તેઓ 10 વારથી વધારે વખત નિયમો તોડી ચૂક્યા છે. ટ્રાફિક નિયમો તોડવાની રીત પણ એક જેવી જ છે. પણ ટ્રાફિક નિયમોની સુસ્તીના કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ નિલંબનની કાર્યવાહી નથી કરવામાં આવી.

રોન્ગ સાઇડ માટે 279 લોકોના 10થી વધારે વખત ચલણ કપાયા છે. વગર હેલમેટ વાળા 101 લોકોના 10થી વધારે વખત ચલણ કપાયા છે. ઓવર સ્પીડીંગમાં પણ 101 લોકોના 10થી વધારે વખત ચલણ કપાયા છે. જે 484 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ આદત અનુસાર નિયમો તોડતા લાગ્યા છે. એવામાં પોલીસ કમિશ્નર એસબી શરડકરના નિર્દેશ પર આ દરેક લોકોને તેમના સ્થાનિક પોલિસ સ્ટેશન પર બોલાવવામાં આવશે. તેમને ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવવામાં આવશે. જેથી આગળથી તેઓ આ પ્રકારની ભૂલ ન કરે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.