સાંઢ બાલ્કની પર ચઢી ગયો, પૂર્વ CMએ કહ્યું- યોગી સરકાર હવાઇ બુલડોઝર મગાવે

હજુ થોડા દિવસો પહેલાં જ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં સાંઢની સમસ્યા વિશે વાત કરીને યોગી સરકાર સામે નિશાન સાંધ્યું હતું. હવે એક કાળો સાંઢ ઘરની છત પરની બાલ્કની પર ચઢી ગયો હતો અને કેટલાંક લોકો તેને ઉતારવાની પ્રયાસ કરી રહ્યા છે. અખિલેશ યાદવે ટ્વિટર પર આ વીડિયો શેર કરીને લખ્યું કે, આને ઉતારવા માટે તો હવાઇ બુલડોઝરની જરૂર પડશે, UP સરકાર તરત ઓર્ડર આપે.અખિલેશ ઘણા સમયથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ સાંઢની સમસ્યાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ છેલ્લાં કેટલાંક સમયથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રસ્તે રખડતા પશુઓ અને સાંઢના હુમલાઓના વીડિયો શેર કરતા રહે છે.આવા વીડિયો શેર કરીને અખિલેશ યોગી સરકાર પર પ્રહાર કરે છે.

ફરી એકવાર અખિલેશે એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક બ્લેક સાંઢ બાલ્કની પર ચઢી ગયો છે અને તેને નીચે ઉતારવા માટે કેટલાંક લોકો પ્રયાસ કરી રહ્યા છે.અખિલેશે ફરી યોગી સરકાર સામે નિશાન સાધીને લખ્યુ કે, આને ઉતારવા માટે UP સરકાર તાત્કાલિક હવાઇ બુલડોઝર ખરીદવાનો ઓર્ડર આપે.

આ પહેલાં અખિલેશે 19 ઓગસ્ટે પણ એક વીડિયો શેર કરીને લખ્યુ હતુ કે, આજના સુપર સ્પેશિયલ સાંઢ સમાચાર, સાંઢની સાથે ટેમ્પોની ટક્કર. આજનો સાંઢ વિચાર, UP પર્યટન વિભાગ હવે આવા વીડિયોને શેર કરીને રાજ્યમાં પ્રવાસીઓને આમંત્રિત કરી શકે છે જેઓ સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર કરીને પોતાનો જીવ જોખમમાં મૂકવાનું પસંદ કરે છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભાના મોનસૂન સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, બીજું કશું તમે ન કરી શકો તો કમસે કમ સાંઢ સફારી બનાવી લો. અખિલેશે કહ્યુ હતું કે આ કામ તમે કેમ નથી કરતા, શું તમારી પાસે બજેટનો અભાવ છે?

અખિલેશે કહ્યું કે એવો કોઇ જિલ્લો ન બચ્યો હશે જ્યાં રખડતા ઢોરોને કારણે મોત ન થયા હોય. સંભલ, મુરાદાબાદ, ચંદ્રોસી, હસનપુર આવા તો કેટલાંય નામ છે.

ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરના મુદ્દા પર અખિલેશ યાદવે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે જ્યારે સાંઢનો મુદ્દો ઉઠાવીએ છીએ તો આ લોકો કહે છે કે એ તો નંદી છે.

About The Author

Related Posts

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.