બસ કંડક્ટરે 1 રૂપિયો પરત ન કર્યો, હવે કોર્ટે આટલા રૂપિયા દંડ ફટકાર્યો

બેંગલુરુ કન્ઝ્યુમર કોર્ટે BMTC એટલે કે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં, BMTCએ એક વ્યક્તિને છુટ્ટો એક રૂપિયો પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ તે વ્યક્તિએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મામલો 2019નો છે. રમેશ નાઈક નામનો વ્યક્તિ કે જે BMTC બસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેણે રૂ.29ની ટિકિટ લીધી અને રૂ.30 કંડક્ટરને આપ્યા. પરંતુ કંડક્ટરે એક રૂપિયો છુટ્ટો પાછો આપ્યો ન હતો.

ત્યાર પછી રમેશ નાયકે ગ્રાહક અદાલતમાં BMTC વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને 15,000 રૂપિયાનું વળતર માંગ્યું. તમામ હકીકતોને જોતા ગ્રાહક કોર્ટે BMTCને રમેશ નાયકને 2000 રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું છે. તેમજ કોર્ટ ફી તરીકે રૂપિયા રૂ.1000 જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે BMTCને 45 દિવસમાં વળતરના આ પૈસા જમા કરાવવા માટે કહ્યું છે. જો કોર્પોરેશન 45 દિવસમાં પૈસા નહીં આપે તો, વાર્ષિક 6000 રૂપિયાનું વ્યાજ પણ તેણે ચૂકવવું પડશે.

બેંગલુરુ અર્બન ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ચુકાદો આપતાં કહ્યું હતું કે, આ સમગ્ર વિવાદ ખૂબ જ હળવા પ્રકારનો છે, પરંતુ વ્યક્તિએ આ મામલો કમિશન સમક્ષ પોતાના અધિકાર તરીકે મુક્યો હતો તેથી તેની પ્રશંસા થવી જોઈએ અને આવા કેસમાં ફરિયાદીને રાહત આપવી જોઈએ.

બીજી તરફ, BMTCએ તેના કાઉન્ટર એફિડેવિટમાં આ બાબતને વ્યર્થ ગણાવી હતી અને કહ્યું હતું કે, તેને સેવામાં ઉણપ સાથે જોડી શકાય નહીં. BMCTએ આ આરોપને પણ નકારી કાઢ્યો હતો અને ફરિયાદને બરતરફ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે BMTCની એક વાત સાંભળી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માણસે પોતાના અધિકાર તરીકે આ એક રૂપિયા માટે કોર્ટ કેસ કર્યો હતો., પરંતુ આવા અનેક કિસ્સાઓ દરરોજ થતા હોય છે, અને સામાન્ય માણસ તેને 'જવા દો', 'ચાલ સે' અથવા 'તમે રાખી લો' એમ કહીને ચલાવી લેતા હોય છે, ઘણા તુમાખીભર્યા બસ કન્ડક્ટરો 'છુટ્ટા આપો' અથવા તો 'તમારે છુટ્ટા રાખવા જોઈએ', 'આવે એટલે આપીશ', ત્યાર પછી તે પેસેન્જરનું ઉતરવાનું સ્થાન આવી જાય ત્યારે મુસાફર તરફથી પૈસાની માંગણી થાય તો ઉગ્રતાથી તેની સાથે વાતચીત કરે છે અથવા ઝઘડો કરે છે. ઉપરોક્ત કેસની જેમ માણસ પોતાના અધિકાર માટે જાગરૂક થાય તો પોતાની મનમાની ચલાવનારાઓ તેમની ફરજ બરાબર કરતા થઇ જાય.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.