દેશી ઘીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, દલીલોથી જજ આશ્ચર્યચકિત,શું આવ્યો નિર્ણય?

On

જો કે સુપ્રીમ કોર્ટમાં મોટાભાગે મોટા મોટા મામલાઓની સુનાવણી થાય છે, પરંતુ કેટલાક એવા કિસ્સાઓ છે, જેને જોઈને માત્ર જજ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ચોંકી જાય છે. આવો જ એક મામલો બુધવારે સુનાવણી માટે આવ્યો હતો, જેમાં ઘી અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં અરજદારે દલીલ કરી હતી કે, ઘી એ પશુધનનું ઉત્પાદન નથી, કારણ કે તે ગાય અને ભેંસમાંથી સીધું મેળવવામાં આવતું નથી. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઘી એ જ પ્રાણીનું ઉત્પાદન ગણાશે જેના દૂધમાંથી તે બને છે.

સર્વોચ્ચ અદાલતે આંધ્ર પ્રદેશના કાયદા હેઠળ 'ઘી'ને પશુધન ઉત્પાદન તરીકે જાહેર કરતી રાજ્ય સરકારની 1994ની સૂચનાને સમર્થન આપ્યું છે, જેમાં બજાર સમિતિઓને તેના વેચાણ અને ખરીદી પર ડ્યૂટી વસૂલવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ઘીની ખરીદી અને વેચાણ પર માર્કેટિંગ શુલ્ક લાદવાના પ્રશ્ન સિવાય, સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ (કૃષિ ઉત્પાદન અને પશુધન) બજાર અધિનિયમ 1966 ની જોગવાઈઓ હેઠળ પશુધન ઉત્પાદન છે કે કેમ તે નક્કી કરવાનું હતું.

આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ SVN ભાટીની બેન્ચે કહ્યું કે, 'ઘી એ પશુધનનું ઉત્પાદન નથી તેવી દલીલ પાયાવિહોણી છે. તેનાથી વિપરિત, ઘી વાસ્તવમાં પશુધનનું ઉત્પાદન છે, તેવી દલીલ તાર્કિક રીતે સાચી છે. અધિનિયમની કલમ 2(v) હેઠળ પશુધનની વ્યાખ્યા કરવામાં આવી છે, જ્યાં ગાય અને ભેંસ નિર્વિવાદપણે પશુધન છે. ઘી એ દૂધની બનાવટ છે, જે પશુધનમાંથી બનાવવામાં આવે છે.'

સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે સંગમ મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડની અરજીને ફગાવી દીધી હતી, જેનાથી રાજ્યમાં બજાર સમિતિઓ દ્વારા તેના વેચાણ અને ખરીદી પર ડ્યૂટી લાદવાનો માર્ગ મોકળો થયો હતો.

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટની સંપૂર્ણ બેન્ચે 1994ની નોટિફિકેશનની માન્યતાને સમર્થન આપ્યું હતું, અને ધાર્યું હતું કે તે ધારાની કલમ 3 હેઠળ નહીં પરંતુ કલમ 4 હેઠળ બહાર પાડવામાં આવ્યું હતું અને ઘીને પશુધન ઉત્પાદન તરીકે સમર્થન આપ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, દૂધમાંથી ઘી એક પ્રક્રિયામાંથી કાઢવામાં આવ્યું હોવા છતાં, તે કાયદાના હેતુઓ માટે અને 'માર્કેટ ફી' ચૂકવવા માટે પશુધનનું ઉત્પાદન રહ્યું છે.

સર્વોચ્ચ અદાલતે સૌપ્રથમ એ નક્કી કરવાનું હતું કે, ઘી એ કાયદાની જોગવાઈઓમાં પશુધનનું ઉત્પાદન છે કે કેમ; બીજું, તે નક્કી કરવાનું હતું કે શું 1994ની સરકારી સૂચના અધિનિયમની જોગવાઈઓ હેઠળ જરૂરી પ્રક્રિયાના યોગ્ય પાલન પછી પ્રકાશિત કરવામાં આવી હતી.

Related Posts

Top News

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકારે છેલ્લા 4 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 370 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માહિતી...
National  Politics 
આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati