ગંદકી, દુર્ગંધ અને તબેલામાં વૃદ્ધ માતા..., પુત્રોની ક્રૂરતા તમને રડાવી દેશે

માં એ એવી દેવી છે કે જેના ચરણોમાં સ્વર્ગ રહેલું હોય છે, એક માં અનેક યાતનાઓ વેઠીને બાળકોને જન્મ આપતી હોય છે, જ્યાં સુધી માં જીવિત હોય છે ત્યાં સુધી તેના બાળકને કઈ પણ થાય તો માં બ્હાવરી બની જતી હોય છે, તેનું સંતાન ગમે તેટલું મોટું થઇ જાય પણ તે તેનું દુઃખ જરા પણ જોઈ શકતી નથી. એ માં ને જ્યારે સંતાનો તરછોડી મૂકતાં હોય તો અને નર્ક જેવી જિંદગી જીવવા માટે મજબુર કરતા હોય તે દીકરાઓનું જીવન નકામું થઇ જાય છે. અહીં એક એવી ઘટના સામે આવી છે.

અમૃતસરના ડૈમગંજમાંથી માનવતાને શરમાવે તેવી તસવીર સામે આવી છે. જે કોઈપણની આંખમાં આંસુ લાવી દેશે. અહીં ત્રણ બાળકોની માતા એવી જગ્યાએ રહેવા મજબૂર છે, જ્યાં દુર્ગંધના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ ચોંકાવનારા મામલાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન ગંદકી અને દુર્ગંધના કારણે પોલીસકર્મીઓ પણ મોઢા પર રૂમાલ રાખવા માટે મજબુર બન્યા હતા.

ડૈમગંજમાં રહેતી એક વૃદ્ધ મહિલાને ત્રણ છોકરા અને એક છોકરી છે. ત્રણેય છોકરાઓ પરિણીત છે. જે છોકરાઓને તેણે ખવડાવી-પીવડાવીને મોટા કર્યા તે જ છોકરાઓએ તેને તબેલામાં રહેવા માટે મજબુર કરી દીધી. તબેલામાં બાંધેલા ઘોડા અને ચારેય તરફ ફેલાયેલી ગંદકીના કારણે અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે.

આ કિસ્સામાં, આ વૃદ્ધ મહિલાની પુત્રી ગુરમીત કૌર કહે છે કે, તે અહીં તેની માતાની સંભાળ લેવા આવે છે. પરંતુ તેના ભાઈઓ તેની માતાની વાત સાંભળતા નથી. એટલું જ નહીં તેની સાથે પણ ઝઘડો કરે છે. જ્યારે, પાડોશીઓનું કહેવું છે કે, મહિલાનું ધ્યાન રાખવાની વાત તો દૂર, તેના છોકરાઓ ઘોડાને પણ ખાવા માટે કંઈ આપતા નથી.

આ મામલાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની પૂછપરછ કરી હતી. આ પછી ASI શમશેર સિંહે જણાવ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાને ત્રણ પુત્રો છે, જે તમામ પરિણીત છે. પરંતુ, કોઈ પણ તેની કોઈ કાળજી લેતું નથી.

આ ઘટના સામે આવ્યા પછી આ વિસ્તારના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકો કહે છે કે, કોઈ સંતાન આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે કે, તેની માતા તબેલામાં રહે અને તે ઘરમાં રહે. એ વિચારીને દુઃખ થાય છે કે, ત્રણ પુત્રો અને ત્રણ પુત્રવધૂ હોવા છતાં પણ તેમની માતા આ પ્રકારનું જીવવા માટે મજબૂર છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.