આ મંદિરનો ગુંબજ સાડા 5 કિલો સોનું અને 596 કિલો તાંબાથી ચમકશે

હિમાચલ પ્રદેશના ઐતિહાસિક શક્તિપીઠ શ્રી નયનાદેવીજીનો ગુંબજ ટૂંક સમયમાં જ સોનાના રૂપમાં જોવા મળશે. મુખ્ય મંદિરના ઘુમ્મટને સુવર્ણ મંદિર જેવો સોનાનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુંબજ પર આશરે સાડા પાંચ કિલોગ્રામ સોનું અને 596 કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે.

ગુંબજ પર સોનું લગાવવાનો ખર્ચ 16 કરોડ રૂપિયા થશે. દિલ્હીના એક બિઝનેસમેન આ રકમ ગુપ્ત રીતે દાન કરી રહ્યા છે. આ કામ કરવા માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી કામદારોને બોલાવવામાં આવ્યા છે. કારીગરો હાલમાં ગુંબજ માટે ઉપયોગમાં લેવાતા તાંબા અને સોનાના મિશ્રણની પ્લેટ તૈયાર કરી રહ્યા છે. આ પ્લેટો પર પણ કોતરણી કરવામાં આવી રહી છે. પ્લેટો તૈયાર થયા બાદ તેને ઘુમ્મટ પર લગાવવાનું કામ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભક્તો તેમની માનતા પરિપૂર્ણતા થવા પર શ્રી નયનાદેવીજીને સોના અને ચાંદીનું દાન કરી રહ્યા છે. અગાઉ, પંજાબના એક ભક્તે ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે ત્રણ કિલોગ્રામ સોનું દાનમાં આપ્યું હતું. નાભાના એક ભક્ત દ્વારા મંદિરના ઘુમ્મટ પર સોનાની કલગી સ્થાપિત કરવામાં આવી હતી, જ્યારે એક ભક્ત દ્વારા 19 કિલો ચાંદીનું છત્ર દાનમાં આપવામાં આવ્યું હતું. મંદિરના અધિકારી વિપિન ઠાકુરે જણાવ્યું કે, શ્રી નયનાદેવીજીના મુખ્ય મંદિરના ગુંબજને સોના જેવો બનાવવાનું કામ મંદિર ટ્રસ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

આ પહેલા પણ પંજાબના સામાજિક સંગઠનો દ્વારા મંદિરના શણગારમાં સોનાનું કામ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ પંજાબની શ્રી નયનાદેવી લંગર સમિતિની સામાજિક સેવા સંસ્થા દ્વારા માતાજીના મંદિરના સુવર્ણ ઘુમ્મટનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારપછી લુધિયાણાની એક સામાજિક કાર્યકર્તા સંસ્થા દ્વારા ગર્ભગૃહની અંદર તાંબા પર લગભગ 3 કિલો સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો, જ્યારે મંદિરના ગર્ભગૃહમાં રોપરની એક સામાજિક કાર્યકર સંસ્થા દ્વારા ચાંદીનો મોટું છત્ર લગાવવામાં આવ્યું છે, જેનું વજન 19 કિગ્રા 500 ગ્રામ છે.

મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધરમપાલે જણાવ્યું કે, આ કામ મંદિર ટ્રસ્ટની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. માતાજીના મંદિરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે સોનાનું કામ કરવામાં આવે છે અને આ સોનાને તાંબાની ઉપર ચડાવવામાં આવ્યું છે, જે કારીગરો દ્વારા સારી રીતે કરવામાં આવે છે. હવે માતાનું આ મનમોહક મંદિર દૂર-દૂર સુધી માં ના ભક્તોને પસંદ આવશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.