સસરાએ પુત્રવધૂ પર કર્યો બળાત્કાર,પત્નીએ વાત પતિને કહી તો કહ્યું- હવે તું મારી મા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક સસરાએ તેની ગર્ભવતી પુત્રવધૂ પર બળાત્કાર કર્યો અને તેને ધમકી આપીને ભાગી ગયો. પીડિતાએ સાંજે ઘરે પરત ફરેલા તેના પતિને તેની પર વીતેલી ઘટના વિષે કહ્યું, પરંતુ મદદ કરવાને બદલે પતિએ પત્નીને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે, હવે પિતાએ તારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા છે, તેથી હવે હું તને મારી સાથે નહીં રાખી શકું. કારણ કે હવે તું મારા પિતાની પત્ની બની ગઈ છે.

હકીકતમાં, કકરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા શફીક (નામ બદલ્યું છે)ની પુત્રી આફરીન (નામ બદલ્યું છે)ના લગ્ન મીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં 19 ઓગસ્ટ 2022ના રોજ થયા હતા. આરોપ છે કે લગ્ન થયા ત્યારથી જ સસરા શમીમ (નામ બદલેલ છે) તેની પુત્રવધૂ પર ખરાબ નજર રાખતો હતો. 5 જુલાઈ, 2023ના રોજ, પીડિતાના સસરાએ તેની પુત્રવધૂ પર બળજબરીથી હુમલો કર્યો અને બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાના જણાવ્યા અનુસાર, સસરાએ બળાત્કાર કરવાના હેતુથી પીડિતાને પોતાના હાથથી પકડીને તેને પલંગ પર પાડી દીધી. તેના કપડાં ફાડી નાખ્યા. પીડિતા ચીસો ન પાડે તે માટે તેના મોઢામાં કપડું ઠુંસી દીધું હતું. આરોપ છે કે, બળાત્કાર કર્યા પછી સસરાએ પીડિતાને માર પણ માર્યો હતો અને આ બનાવ અંગે કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પીડિતાનો પતિ જાવેદ (નામ બદલેલ છે) તેની માતા અલ્ફિયા (નામ બદલેલ છે)ને હકીમને ત્યાં ઈલાજ માટે લઈ ગયો હતો ત્યારે શમીમે આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપીને બળાત્કારી સસરો ઘર છોડીને ભાગી ગયો હતો.

પીડિત મહિલાનો આરોપ છે કે, જ્યારે તેનો પતિ સાંજે ઘરે આવ્યો ત્યારે તેણે તેની સાથે વીતેલી આખી ઘટનાની માહિતી પતિને જણાવી હતી. પરંતુ પતિએ તેને સાથ આપવાને બદલે તેણે પીડિતાને માર માર્યો હતો. તેમજ 'મારા પિતાએ તારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા છે', હવે હું તને મારી સાથે નહિ રાખી શકું, કારણ કે હવે તું મારા પિતાની પત્ની બની ગઈ છે.' તેમ કહી તેને ઘરની બહાર કાઢી મુકી હતી.

પીડિતા તેના પિયરના ઘરે ગઈ અને ઘણા દિવસો સુધી રાહ જોયા પછી 5 સપ્ટેમ્બર 2023ના રોજ મીરાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ કેસમાં પોલીસે તરત જ આરોપી સસરા અને પતિ વિરુદ્ધ કલમ 376, 323 અને 506 હેઠળ કેસ નોંધ્યો હતો. તેમજ આરોપીઓને પકડવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

જોકે, આ મામલામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કામાં ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. બાકીના કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.