આ લોકો કોઈ વસ્તુને લાયક નથી, સીટ છોડી સર્વિંગ ટ્રે પર બેઠી યુવતી, વીડિયો વાયરલ

PC: thekhabrilal.com

વંદે ભારત એક્સપ્રેસના દિવસે એક યા બીજા સમાચાર સામે આવતા રહે છે. ક્યારેક ઢોર સાથે ટકરાવની ઘટનાના સમાચાર છે તો ક્યારેક પથ્થરમારાના સમાચાર છે. પરંતુ આ વખતે જે સમાચાર સામે આવ્યા છે તે આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે જોડાયેલા છે. વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વંદે ભારત ટ્રેનમાં સીટની પાછળ સર્વિંગ ટ્રે પર એક યુવતી બેઠી છે.

મળતી માહિતી મુજબ, જે વીડિયો સામે આવ્યો છે તે માત્ર 3 સેકન્ડનો છે. જેમાં એક યુવતી ટ્રેનની સીટની પાછળ ભોજન અને લેપ ટોપ રાખવા માટે મૂકવામાં આવેલી સર્વિંગ ટ્રે પર બેઠી છે. તેણે પોતાના બંને પગ સીટ પર રાખ્યા છે. તેની સામે બેઠેલી બીજી છોકરી સાથે વાત કરતી વખતે તે મોબાઈલ પર કંઈક જોઈ રહી હતી. વીડિયો જોઈને લાગે છે કે યુવતીને બિલકુલ ખ્યાલ નથી કે તેના કારણે ટ્રે તૂટી શકે છે. તેને ઈજા પણ થઈ શકે છે.

વાસ્તવમાં આ વીડિયો એક મુસાફર દ્વારા બનાવવામાં આવ્યો છે. જેને જોઈને એવું લાગે છે કે આ ટ્રેનને માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ નુકસાન થઈ શકે છે. જેના માટે આવા મુસાફરો પોતે જ જવાબદાર રહેશે. વીડિયો 5 માર્ચ, 2023 સાંજે 6:11 વાગ્યાનો છે. આ વંદે ભારત એક્સપ્રેસ કટરાથી નવી દિલ્હી તરફ આવી રહી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, વંદે ભારત એક્સપ્રેસના દરેક કોચમાં સીટની પાછળ સર્વિંગ ટ્રે હોય છે. જેમ કે શતાબ્દી, સ્વર્ણ શતાબ્દી જેવી દરેક ચેર કારમાં તેને ફીટ કરવામાં આવે છે. આ ટ્રે કોઈને બેસવા માટે તો બિલકુલ હોતી જ નથી, પરંતુ તેમ છતાં આ છોકરી તે ટ્રે પર બેઠી છે. આવી સ્થિતિમાં જો તે ટ્રે તુટી જાય અને અન્ય મુસાફર ત્યાં આવીને બેસે તો તે તેના માટે રેલવેને જ જવાબદાર ગણશે. પરંતુ આ માટે જવાબદાર મુસાફરોનું શું?

વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયા બાદ આ ટ્રેન સાથે પશુઓની અથડામણ અને ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે. ચાલો જાણીએ આવા જ કેટલાક કિસ્સાઓ વિશે...

તેલંગાણાના મહબૂબાબાદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર, મહબૂબાબાદના ઉપનગરમાં અજાણ્યા શખ્સોએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. પથ્થરમારાથી ટ્રેનના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી. સૂચના મળ્યા પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રેક ની તાપસ કરી હતી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. બિહારના કટિહાર જિલ્લામાં ન્યૂ જલપાઈગુડીથી હાવડા જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનની C6 બોગીની બારીના કાચ તૂટી ગયા હતા. મળતી માહિતી મુજબ, પથ્થરમારાને કારણે જ્યાં ટ્રેનના કોચ નંબર 6ની જમણી બાજુની બારીના કાચ તૂટી ગયા હતા, ત્યાં કોચમાં બેઠેલા મુસાફરો ઈજાગ્રસ્ત થવાથી બચી ગયા હતા.

આ ઉપરાંત વંદે ભારત ટ્રેનો પશુઓ સાથે અથડાવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. મુંબઈ સેન્ટ્રલથી ગુજરાતની રાજધાની ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફરી એકવાર અકસ્માતનો શિકાર બની છે. જ્યાં એક ઢોર ટ્રેન સાથે અથડાયું હતું. એક મહિનામાં આ ટ્રેન સાથે પશુઓની ટક્કરનો આ ત્રીજો કિસ્સો હતો.

રેલમંત્રીના તરફથી આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, 1 જૂન 2022થી આખા દેશમાં વંદે ભારત ટ્રેનનું એક્સલ લોક થવાની એક ઘટના, જ્યારે ઢોર અથડાવાની 68 ઘટનાઓ સામે આવી છે. દેશમાં અત્યારે ફક્ત અમુક નક્કી કરેલા રૂટ પર જ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. નવી દિલ્લી-વારાણસી, નવી દિલ્લી-કટરા, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગરનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં આખા ભારત દેશમાં 400 વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મરાઠવાડા રેલવે કોચ ફેક્ટરીમાં લગભગ 1600 વંદે ભારત ટ્રેનના ડબ્બાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp