રાહુલ ગાંધીથી સરકાર ડરી ગઇ છે, સંજય રાઉતે આવું કેમ કહ્યું?

મોદી સરનેમ માનહાનિ કેસમાં છેલ્લાં 6 મહિનાથી કોર્ટમાં ચાલેલી લડાઇ બાદ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. એ પછી કોંગ્રેસ અને વિપક્ષ રાહુલ ગાંધીના સસંદ સભ્યપદ પાછું મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. લોકસભાએ હજુ સુધી રાહુલ ગાંધીનું રદ કરાયેલું સભ્યપદ હજુ પાછું આપવા માટે મંજૂરી આપી નથી. આ દરમિયાન શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવાને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.

સંજય રાઉતે કહ્યું કે, સરકાર રાહુલ ગાંધીથી ડરે છે. સુરત કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવ્યાના 24 કલાકમાં જ લોકસભાના અધ્યક્ષે વિલંબ કર્યા વિના તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આવી ઉતાવળ કરવાની કોઇ જરૂરિયાત નહોતી.રાહુલ ગાંધીને ઘરમાંથી પણ કાઢી મુકાયા. તેમના સંસદ સભ્ય તરીકેના બંગલાને ખાલી કરવાની સરકારે નોટીસ આપી હતી.

પરંતુ હવે સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં  સ્ટે આપીને સુરત કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ પર ખૂબ જ આકરી ટીપ્પણી કરી છે. સજા પર સ્ટે મુક્યાને ત્રણ દિવસ થઈ ગયા છે. આમ છતાં લોકસભા અધ્યક્ષે તેમનું સભ્યપદ પાછું આપ્યું નથી. સંજય રાઉતે સવાલ કર્યો કે શું તમે કયો અભ્યાસ કરો છો?  સુપ્રીમ કોર્ટના ચુકાદા પર Ph.d. કરી રહ્યા છો?   સંજય રાઉતે કહ્યુ કે અમે બધા INDIA ગઠબંધનના નેતાઓ આવતીકાલે મળીશું અને ભવિષ્યની રણનીતિ શું હશે તેની ચર્ચા કરીશું.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા કર્ણાટકમાં એક રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, બધા ચોરાની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ આખા મોદી સમાજનું અપમાન કર્યું છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે, 2023ના દિવસે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષનો ચુકાદો આપ્યો હતો અને એના બીજા દિવસે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.

એ પછી કોંગ્રેસે સુરતની નીચલી અદાલતના ચુકાદાને સેશન્સ કોર્ટ અને ગુજરા હાઇકોર્ટમાં પડકાર્યો હતો, તેમાં રાહુલ ગાંધીની હાર થઇ હતી. એ પછી કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.