વરરાજો લગ્નમાં ઓછા ઘરેણા લાવેલો, કન્યાએ વરમાળાથી આગળની વિધિ ન કરી અને...

લગ્નમાં દહેજ માંગવું એ કાયદેસર ગુનો છે. બધા જાણે છે. પરંતુ દહેજ પ્રથા આજે પણ ચાલુ છે. દૂરના અંદરના ગામડાઓમાં દહેજ પ્રથા પહેલા જેવી જ છે. શહેરોમાં ગિફ્ટના નામે આ પરંપરા ચાલી રહી છે. દરરોજ એવા સમાચાર જોવા અને વાંચવા મળે છે કે, નારાજ વર કે વરપક્ષના લોકોએ દહેજ ન આપવા અથવા ઓછુ દહેજ મળવાને કારણે લગ્નની જાનને પછી લઇ ગયા. પરંતુ ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં કથિત રીતે ઓછા દાગીના મળતા નારાજ દુલ્હનએ છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ મામલો કાનપુર દેહાતના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના રહેવાસી કૃષ્ણ મુરારીના લગ્ન બનવારીપુર ગામના રહેવાસી શ્યામ નારાયણની પુત્રી સાથે નક્કી થયા હતા. લગ્ન માટે 30 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. મીડિયાના સૂત્રો પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર, કૃષ્ણ મુરારીના લગ્નની જાન દુલ્હનના ઘરે પહોંચી હતી. વરમાળા સુધીની વિધી પણ કરવામાં આવી હતી. આરોપ છે કે, આ પછી કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી. કૃષ્ણા મુરારીએ આ વિશે મીડિયાને કહ્યું કે, 'હું કોઈ પણ જાતના દહેજની લેવડદેવડ વિના છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. અમે જાન લઈને આવ્યા હતા. અમારું સ્વાગત પણ કરવામાં આવ્યું. વરમાળાની વિધી પણ થઇ. કન્યાને ચડાવવાના સમયે દાગીના આપવામાં આવ્યા હતા. પરંતુ કન્યા પક્ષે ઘરેણાં જોઈને તેનો વિરોધ કર્યો હતો, અને કહ્યું કે અમે લગ્ન કરવા નથી માંગતા.'

રિપોર્ટ અનુસાર, 1 મેના રોજ બંને પક્ષો સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસના સમજાવવા છતાં પણ કામ ન થયું અને વરરાજાને કન્યા વિના તેની જાન પછી લઇ જવી પડી હતી. ત્યાર પછી બંને પક્ષોને સમાધાન માટે ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. લગ્નમાં વરરાજાના પરિવાર દ્વારા આપવામાં આવેલી તમામ વસ્તુઓ સાથે. છોકરાના પિતા લાલારામે મીડિયાને કહ્યું, 'તે તેના પુત્રના લગ્ન માટે છોકરીને જોવા ગયો હતો. ત્યાર બાદ ખોળો ભરવાની વિધિ કરવામાં આવી હતી. ત્યાર પછી યુવતીના માતા-પિતાએ લગ્નની તારીખ આગળ વધારવા માટે કહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ અમે જાનને લઈને જવાની તૈયારી કરી લીધી હતી એટલે અમે 30 એપ્રિલે જ જાન લઈને ત્યાં પહોંચ્યા હતા. લગ્નના દિવસે યુવતીપક્ષનાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ આપી હતી. તેમ કહીને કે, અમે દહેજની માંગણી કરી છે. અમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. અમે દહેજ વગર લગ્ન કરવા આવ્યા છીએ તે અંગે અમે પોલીસને જણાવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, છોકરાવાળાઓએ ઘરેણાંમાં ટોપ્સ, વીંટી, બંગડીઓ, વિછિયા, 2000 રૂપિયા, નાકની નથડી, અને મંગળસૂત્ર આપ્યાં હતાં. સમજૂતી બાદ બંને પક્ષોને પરત મોકલી આપવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.