પતિ ઘર જમાઇ રહેવાની ના પાડતો હતો,પત્નીએ પુત્ર અને તેના મિત્ર સાથે મળી પતાવી દીધો

ઘરજમાઇ બનવાનો વારંવાર ઇન્કાર કરી રહેલા પતિનું પત્નીએ તેના પુત્રની સાથે મળીને કાસળ કાઢી નાંખ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પત્નીનો પિયર પક્ષ ધનાઢ્ય હતો અને પત્નીને કોઇ ભાઇ નહોતા એટલે પત્ની પોતાના પતિને ઘરજમાઇ તરીકે રહેવા માટે દબાણ કરતી હતી.

જોધપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ ઘરજમાઇ રહેવા તૈયાર નહોતો તો એ વાતથી નારાજ પત્નીએ પોતાના પુત્ર અને પુત્રના મિત્રની મદદથી પતિને લાઠી અને લોખંડના સળિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહિલાના ઘરથી માત્ર 500 મીટરના અંતરે પતિની લાશ મળી આવી હતી.

જોધપુરના ગ્રામીણ SP નવાબ ખાંએ જણાવ્યું હતું કે, એકલખોરીમાં આવેલા શિવનગરમાં રહેતી મહિલા ઇમરતી દેવીએ પોતાના પુત્ર મનીષની સાથે મળીને પતિ શૈતાનરામ બિશ્નોઇની લાઠી અને સળિયાથી હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. શૈતાનરામની હત્યામાં પુત્રના મિત્ર કૈલાશ ખીચડે મદદ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે, રસ્તા પર શૈતાનરામની લાશ પડી હતી અને હાથ પગ તુટેલા હતા અને ગરદન પર પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. શૈતાનરામને અધમૂઓ છોડીને હત્યારા ફરાર થઇ ગયા હતા. સવારે જ્યારે લોકોએ શબને જોયું ત્યારે પોલીસને જાણ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે, શૈતાનરામનું સાસરું તેમના ઘરથી માત્ર અડધો કિલોમીટર દુર હતુ. શૈતાનરામના 5 ભાઇઓ છે અને દરેક ભાઇઓના હિસ્સામાં 5-5 વિઘા જમીન આવે છે. જ્યારે પત્ની ઇમરતીને કોઇ ભાઇ નથી અને તેણીના ભાગમાં લગભગ 20 વિઘા જમીન આવે છે. ઇમરતી તેના પતિ શૈતાનરામને પોતાના પિયર આવીને ઘરજમાઇ તરીકે રહેવા માટે દબાણ કરતી હતી અને પુત્ર પણ એવું ઇચ્છતો હતો કે પિતા સાસરામાં ઘરજમાઇ તરીકે રહે.

ઘણી વખત ઇમરતીના પિયર પક્ષના લોકો અને ગામના વૃદ્ધ લોકોએ પણ શૈતાનરામને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ શૈતાનરામને ઘરજમાઇ તરીકે રહેવું મંજૂર નહોતું.

ગામના લોકોના કહેવા મુજબ શૈતાનરામને દારૂ પીવાની આદત હતી અને તેને નશા મૂક્તિ કેન્દ્રમાં પણ લઇ જવાયો હતો.

પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ખબર પડી કે પત્ની, પુત્ર અને પુત્રના મિત્રએ મળીને હત્યા કરી છે તો ત્રણેયની ધરપકડ કરી હતી. શૈતાનરામની હત્યામાં સામેલ કૈલાસ ખીચડ ઇમરતી દેવીના સગામાં હોવાનું જાણવા મળ્યું છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.