છત્તીસગઢમાં મહિલાના ઘરની વિજળી કપાઇ, રાહુલ ગાંધીને સવાલ હરિયાણામાં પુછાયો, પછી..

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણામાં હતી ત્યારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને છત્તીસગઢનો સવાલ પુછવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ભારે ગાજી રહ્યો છે.

રાહુલ ગાંધીને સવાલ પુછવામાં આવ્યો હતો કે, છત્તીગસગઢમાં આદિવાસી સામાજિક કાર્યકર સોની સોરીના ઘરની વિજળી કેમ કાપી નાંખવામાં આવી છે? આમ તો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે છત્તીસગઢ જઇને તપાસ કરી લઇશ. પરંતુ રાહુલ ગાંધીને સવાલ પુછાતા ઉત્તરાખંડનું તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સાંજ સુધીમાં સોની સોરીના ઘરે વીજળીનું કનેકશન જોડી દેવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર છે.

હવે તમને એ થશે કે રાહુલ ગાંધીને હરિયાણમાં ઉત્તરાખંડમાં રહેતી સોની સોરીના ઘરની વીજળી અંગે સવાલ પુછાયો તો આ સોની સોરી છે કોણ? સોની સોરી ઉત્તરાખંડની એક આદિવાસી સામાજિક કાર્યકર છે. તે એક શાળામાં શિક્ષિકા હતી, પરંતુ વર્ષ 2011માં દંતેવાડા પોલીસે તેની નક્સલવાદીઓને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સોની સોરી અને તેનો ભત્રીજો લિંગારામ કોડોપી એસ્સાર કંપની વતી 15 લાખ વસૂલવા પલનાર ગામના સાપ્તાહિક બજારમાં આવ્યા હતા.

તેમણે આ રકમ નક્સલવાદીઓને પહોંચાડવાની હતી. પોલીસે ત્યાં દરોડો પાડ્યો, જ્યાં એસ્સારના કોન્ટ્રાક્ટર અને મેનેજર 15 લાખ સાથે ઝડપાઇ ગયા હતા. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે સોનીને જામીન આપ્યા હતા. ત્યારથી, સોની માનવાધિકાર ઉલ્લંઘનના કેસોમાં અવાજ ઉઠાવી રહ્યા છે. ગયા વર્ષે NIA કોર્ટે સોની સોરીને આ કેસમાં નિર્દોષ જાહેર કરી હતી.

સોની સોરી નિદોર્ષ જાહેર થયા પથી સરકાર પાસે પોતાની નોકરી પાછી માંગી રહી છે અને તેના વિરોધમાં તેણે પોતાના ઘરનું વીજળી બિલ ભરવાનું બંધ કરી દીધું છે. છેલ્લે સોની સોરીએ ફેબ્રુઆરી 2022માં વીજળી બિલ ભર્યું હતું. સોની સોરીએ અત્યાર સુધીમાં વીજળી કંપનીને 25,000 રૂપિયા બિલ ભર્યું નથી એટલે ગયા મહિને તેના ઘરનું કનેકશન કાપી નાંખવામાં આવ્યું હતું. હવે રાહુલ ગાંધીને સવાલ પુછાયો તો તંત્રએ કનેકશન તો જોડી દીધું છે, પરંતુ 15 દિવસમાં બિલ ભરી દેવાની સુચના પણ આપી છે. મતલબ કે 15 દિવસમાં બિલ ભરવાની શરતે સોની સોરીના ઘરે કનેકશન જોડી દેવાયું છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.