વિવેક અને અનુપમ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને આ જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, ખૂલી પોલ

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ થઇ ગઇ છે એવો જોરશોરથી વિવેક અગ્નિહોત્રી દાવો કરી રહ્યો છે, પરંતુ તેનો દાવો પોકળ હોવાની વાત સામે આવી છે. ફિલ્મ હજુ શોર્ટલિસ્ટ  શઇ નથી.

‘ધ કાશ્મીર ફાઇલ્સ'ને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાના સમાચાર ખોટા છે. વિવેક અગ્નિહોત્રીનો દાવો ખોટો છે. આ ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી, માત્ર ઓસ્કાર માટે લાયક ગણવામાં આવી છે. કંતારા ફેમ અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ પણ ઓસ્કાર માટે ક્વોલિફાય થઈ શકી નથી. કંતારાને પણ માત્ર પાત્ર ગણવામાં આવી છે.

કાશ્મીર ફાઇલને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાના સમાચાર સાંભળીને તમે સેલિબ્રેશન મોડમાં છો. તો થોડીવાર રોકાઈ જાવ. કારણ કે તમારી સાથે શબ્દોનો ખેલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટ દ્વારા ફિલ્મ પ્રેમીઓને ગેરમાર્ગે દોર્યા છે.

સત્ય એ છે કે કાશ્મીર ફાઇલ્સ હજુ સુધી ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી. આ ફિલ્મ રેસમાં બની છે. ઓસ્કર 2023 માં આગળ વધવા માટે પાત્ર છે, તેનાથી વધુ કંઈ થયું નથી. હા અપેક્ષાઓ પૂરી છે પણ મંઝિલ મળવી અલગ વાત છે.

વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે,બિગ એનાઉસમેન્ટ, એકેડમીની પ્રથમ યાદીમાં કાશ્મીર ફાઇલને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ભારતની 5 ફિલ્મોમાંથી એક છે. હું દરેકને અભિનંદન આપું છું. બીજા ટ્વિટમાં, ડિરેક્ટર લખે છે કે, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, અનુપમ ખેર બધાને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ તો માત્ર શરૂઆત છે. રસ્તો લાંબો છે. બધાને આશીર્વાદ આપો.

જો તમે એકેડમી એવોર્ડ્સની ઓફિશિયલ વેબસાઈટ પર જશો તો તમે જોશો કે વિવેક અગ્નિહોત્રીનો દાવો ખોટો છે. આ ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી. ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની માત્ર એક ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તે છે 'ધ લાસ્ટ ફિલ્મ શો', આ એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તેની જાહેરાત થઈ ચૂકી હતી. બાકીની કેટેગરીમાં શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની માહિતી હજુ આવવાની બાકી છે. માત્ર વિવેક જ નહીં, કાંતારા ફેમ અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ પણ ઓસ્કાર માટે ક્વોલિફાય થઈ શકી નથી.

9 જાન્યુઆરી, 2023 ના રોજ, એકેડેમી પુરસ્કારો માટે લાયક 301 ફિલ્મોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં કંતારા, ધ કાશ્મીર ફાઇલ્સનું નામ સામેલ હતું. અખબારી યાદીમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે આ ફિલ્મો શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ તમામ ફિલ્મોને મતદાન પ્રક્રિયા પછી આગળ મોકલવામાં આવશે. સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ એલિજિબિલિટી લિસ્ટ છે, જેનો અર્થ છે કે આ ફિલ્મો ઓસ્કારના તમામ માપદંડોને પૂર્ણ કરે છે અને આગળ વધવાની ક્ષમતા ધરાવે છે. ઓસ્કારની રેસમાં તેનું નામ છે. પરંતુ આ ફિલ્મ શોર્ટલિસ્ટ થશે જ તેની કોઇ ગેરંટી નથી.

વિવેક અગ્નિહોત્રી જ નહીં પરંતુ આ ફિલ્મમાં અભિનય કરનાર અનુપમ ખેર પણ આ જૂઠ્ઠાણું ફેલાવી રહ્યો છે. અનુપમ ખેરે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, ધ કાશ્મીર ફાઇલ્સ અને મારું નામ ઓસ્કર 2023 માટે બેસ્ટ અને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં પસંદ થયું છે જેની મને બહુ ખુશી છે. શોર્ટ લિસ્ટ તરીકે આ અમારા માટે એક મોટી જીત છે. લિસ્ટમાં અન્ય એક ભારતીય ફિલ્મને પણ શુભેચ્છા. ભારતીય સિનેમાની જય હો.

બીજી તરફ, રિષભ શેટ્ટીનું નિવેદન છે કે તેમની ફિલ્મ ઓસ્કાર માટે બે કેટેગરીમાં ક્વોલિફાય થઈ છે તે ભ્રામક છે. વિવેક અગ્નિહોત્રી અને ઋષભ શેટ્ટી દ્વારા ચાહકોને ગેરમાર્ગે દોરવું એ સમજની બહાર છે, કારણ કે તે બંને હજુ પણ ઓસ્કરની રેસમાં ઘણા પાછળ છે. તેથી આ સેલિબ્રેશનનો સમય નથી. તેના ઓસ્કારને લઈને જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે તે જલ્દબાજી સિવાય કશું નથી.

95મા એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશન વોટિંગ 12-17 જાન્યુઆરી દરમિયાન યોજાશે. નામાંકન 24 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કરવામાં આવશે. પછી તે દિવસ આવશે જેની તમામ સિનેમાપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે.ઓસ્કર એવોર્ડની જાહેરાત 12 માર્ચ, 2023ના રોજ થશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.