અતીક-અશરફની હત્યા બાદ કેમ અચાનક 22 જિલ્લાઓના 800 ફોન બંધ થયા?

પ્રયાગરાજમાં અતીક-અશરફની હત્યા બાદ સર્વિલાન્સ પર લેવામાં આવેલા 3 હજાર મોબાઈલ ફોન બંધ થઈ ગયા છે. STFઉમેશ પાલની હત્યાના કેસમાં ફરાર શૂટરો અને મદદગારોની તપાસ માટે આ નંબરોને સર્વિલાન્સ પર લઈને પુરાવા ભેગા કરી રહી છે. અતીક અને અશરફની હત્યા બાદ દૂરના સંબંધીઓ અને સંપર્કમાં રહેનારા હવે ડરમાં આવી ગયા છે. એક સાથે એટલા બધા મોબાઈલ નંબર બંધ થઈ જવાથી તપાસ પણ પ્રભાવિત થઈ રહી છે. જો કે, કોલ ડિટેલના આધાર પર STFએ હવે ખબરીઓની મદદ ફરી લેવાની શરૂ કરી દીધી છે.

24 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેશ પાલની હત્યા બાદ STFએ અસદ, ગુલામ, અરમાન, સાબિર અને શાઈસ્તાને શોધવા માટે 5000 કરતા વધુ મોબાઈલ નંબર સર્વિલાન્સ પર લઈ રાખ્યા હતા. તેનાથી STFને કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ મળી હતી. ત્યારબાદ STF દિલ્હીમાં 3 મદદગારો સુધી પહોંચી હતી. આ મદદગારોથી જ અસદ અને ગુલામનું લોકેશન મળ્યું હતું. પછી આ લોકોનો અજમેરથી પીછો કરતા ઝાંસીમાં STFએ બંનેને એનકાઉન્ટરમાં ઠાર કરી દીધા.

ત્યારબાદ જ 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં રિમાન્ડ અવધિમાં માફિયા અતીક અહમદ અને અશરફનું ખુલ્લેઆમ મીડિયા સામે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાથી આખું પ્રયાગરાજ અને અંડરવર્લ્ડ હચમચી ગયું હતું. STFના એક અધિકારીએ જણાવ્યું કે, અતીક અહમદ અને અશરફની હત્યા બાદ 3 દિવસમાં એક એક કરીને લગભગ 800 મોબાઈલ નંબર સ્વિચ ઓફ થઈ ગયા. એટલું જ નહીં તેમાંથી મોટા ભાગના લોકો પોતાના ઘરોથી પણ જતા રહ્યા.

કોઈએ દૂર પોતાના મિત્રોને ત્યાં શરણ લઈ લીધી, તો કોઈ ફરવાની વાત પાડોશીઓને કહીને જતું રહ્યું. STFનું કહેવું છે કે, અચાનક નંબરો બંધ થવાથી ઘણા લોકો રડાર પર હતા, જેમની બાબતે બધુ જાણતા છતા તેમના પર હાથ નાખવામાં આવી રહ્યો નહોતો. એમ એટલે કરવામાં આવી રહ્યું હતું કે કદાચ તેમના સંપર્કમાં કોઈ આરોપી આવી જાય તો તેના સુધી પહોંચી શકાય.

STF અને પ્રયાગરાજ પોલીસે લખનૌ, પ્રયાગરાજ, બારાંબાકી, કાનપુર, ગાઝિયાબાદ, નોઇડા, અજમેર, શાહજહાંપુર, ઝાંસી, હરદોઇ, બરેલી, સહારનપુર, પટના, રાંચી, રાયપુર સહિત 22 જિલ્લાઓના આ નંબર સ્વિચ ઓફ થયા છે. તેમાં કેટલાક નંબર બીજા માફિયા ગેંગ સાથે જોડાયેલા લોકોના પણ હતા. જો કે, અતીક-અહમદની હત્યા બાદ STFએ કેટલાક બીજા નંબરોને સર્વિલાન્સ પર લીધા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.