ગામવાસીઓએ નાગણને મારી 80 ઈંડા જમીનમાં દાટ્યા, પણ નાગ બદલો લેવા આવશે એનો ખૌફ

દેશ આજે ભલે ચંદ્ર પર જવાની તૈયારીઓમાં લાગી ગયો છે, પણ તે વાતમાં શંકાને સ્થાન નથી કે વાર્તાઓ અને ફિલ્મોમાં નાગ અને નાગણના કિસ્સા લોકોમાં આજે પણ ચર્ચાનો વિષય છે. મુઝફ્ફરનગરના એક ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક નાગણના 80 ઇંડા મળ્યા બાદ લોકોમાં અચરજ જોવા મળી રહ્યું છે. ગામવાસીઓએ નાગણને મારી નાખી હતી, પણ નાગણના મોત બાદ ઘરમાંથી નાગણના 80 ઇંડા મળ્યા અને લોકો ચોંકી ઉઠ્યા હતા. મૃત નાગણ અને તેના ઇંડાને જમીનમાં દાટ્યા પછી પણ લોકો ડરેલા છે. ડરેલા લોકોનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા આ જ ગામમાં એક નાગણે નાગની હત્યાનો બદલો એક કિશોરને ડંખ મારીને લીધો હતો.

નાગને મારી નાખ્યા પછી નાગણનો બદલો લેવો અને તેના ગુસ્સાથી બચવાની વાર્તાઓ લોકો પાસેથી સાંભળવા મળે છે. ચરથાવલ પોલીસ મથક ક્ષેત્રના ગામ રોની હર્જીપુરના લોકો અનુસાર, અહીં આજથી લગભગ 5 વર્ષ પહેલા એક ચોંકાવનારી ઘટના બની ચૂકી છે. ડરના માહોલ વચ્ચે મંગળવારે ગામના એક મુસ્લિમના ઘરેથી એક નાગણ મળી આવી હતી. આ પહેલા કે લોકો કંઇ સમજી શકે, નાગણે ફુંફાડો મારતા ઘરના લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. સૌભાગ્યથી તે કોઇને ડંખી ન શકી.

આ દરમિયાન નાગણને મારી નાખવામાં આવી. ઘરના ખૂણામાં રાખેલી અનાજની ટાંકી હટાવવામાં આવી તો તેની નીચે નાગણના 80 ઇંડા મળ્યા. ઇંડા જોઇને આબાદના પરિવારના લોકો ડરી ગયા. ભારતીય ખેડૂત યુનિયનના મંડળ અધ્યક્ષ વિકાસ શર્માએ કહ્યું કે, આબાદનો પરિવાર મંગળવારે નાગણના હુમલાથી જેમ તેમ બચ્યો. તેમણે નાગણના ઇંડા જમીનમાં દાટી દીધા.

ગામના લોકોનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા ગામના સલીમના ઘરમાં નાગ નાગણની જોડી નીકળી હતી. સલીમનો પરીવાર ડરી ગયો અને તેમણે નાગને મારી નાખ્યો. નાગણ કોઇ રીતે બચીને તેના દરમાં ચાલી ગઇ. પણ થોડા દિવસ પછી નાગણે દરની બહાર આવીને સલીના 15 વર્ષના છોકરાને ડંખીને નાગની હત્યાનો બદલો લીધો હતો. ગામ રોની હરજૂપુરમાં 5 વર્ષ પહેલા ઘટેલી આ ઘટનાને લઇને આજે પણ ગામના લોકો ડરેલા છે. જ્યારે, રોની હરજૂપુરમાં નાગણને મારી નાખવાના મુદ્દામાં ડેપ્યુટી રેન્જર કુલદીપ સિંહનું કહેવું છે કે તેમને આ વિશે જાણકારી નથી. તેમણે કહ્યું કે, કેસની તપાસ કરાવીને આવશ્યક વૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.