આ પુત્ર ન હોય શકે, હેવાન દીકરાએ માતાને ચાકુના 80 ઘા મારીને પતાવી દીધી

રાજસ્થાનથી હેવાનિયતને પણ શરમાવે તેવી હીચકારી ઘટના સામે આવી છે, જે દીકરાને માતાએ ધાવણ આપીને મોટો કર્યો એ જ દીકરાએ માતાની છાતીમાં ચાકુના 80 ઘા મારીને યમદસન પહોંચાડી દીધી હતી. જ્યારે ડોકટરોએ પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે માતાના શરીરના ઘા જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે આવી બેરહેમી અમે અમારી જિંદગીમાં ક્યારેય જોઇ નથી. આ પુત્રને કેટલું ખુન્નસ હશે કે માતાના 80-80 ઘા માર્યા ત્યાં સુધી અટકયો નહી? આ માતા-પિતાનો એકનો એક દીકરો છે.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં પુત્ર દ્વારા માતાની હત્યાના મામલામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અહીં એક માતા પોતાના વ્હાલા પુત્રને આમંત્રણ જમવા લઈ જવા માંગતી હતી. પરંતુ તેનાપુત્રને આ ગમ્યું નહીં. આ પછી, કલયુગી પુત્રને  એટલો બઘો ગુસ્સો આવ્યો કે તેણે માતાના શરીર પર છરી વડે 80 ઘા માર્યા. જ્યાં સુધી માતાનો શ્વાસ તૂટી ન જાય ત્યાં સુધી તે હુમલો કરતો રહ્યો.

આ ઘટના ભીલવાડાના ઉપનગર પુરમાં પીપલેશ્વર મહાદેવ મંદિર પાસે બની હતી. અહીં શંકરલાલ બિશ્નોઈના એકમાત્ર પુત્ર સુનિલે તેની માતા મંજુ દેવીની છરી વડે હુમલો કરીને હત્યા કરી હતી. હત્યા સમયે મૃતક મંજુના સાસુ ઘરની બહાર બેઠા હતા અને પિતા શંકરલાલ શાકભાજી ખરીદવા ગયા હતા.

ભીલવાડાના એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ ચંચલ મિશ્રાએ કહ્યું કે પોસ્ટમોર્ટમ સમયે મંજુ દેવીના શરીર પર 80 ઘા જોઈને અમે અને ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા. મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપવામાં આવી છે. આરોપી સુનીલની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પાસેથી હત્યામાં વપરાયેલી છરી પણ કબ્જે કરવામાં આવી છે.

પોલીસે કહ્યું હતું કે, સુનીલના તેની માતાના બંને ભાઇઓ એટલે કે બંને મામાઓ સાથે સંબંધ સારા નહોતા. રક્ષાબંધન વખતે તેની માતા પિયર ભાઇઓને રાખડી બાંધવા જવા માંગતી હતી, પરંતુ તે વખતે પણ સુનિલે પોતાની માતાને એક રૂમમાં 10 દિવસ સુધી બંધ કરી દીધી હતી. મામાઓએ તેમના ભાણેજ  સુનિલ સામે પોલીસમાં 3 વખત રિપોર્ટ કર્યા હતા, પરંતુ પોલીસે પારિવારિક વાત હોવાનું કહીને વાતને હળવાશથી લઇ લીધી હતી.

હત્યા કર્યા પછી પુત્ર સુનિલ માતાના શબ પાસે બેસી રહ્યો હતો. જ્યારે પિતા શાકભાજી લઇને પરત આવ્યા તો સુનિલે પિતાને ઘરમાં બંધ કરી દીધા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહોલ્લાના લોકોએ તેને પકડી લીધો હતો.

સુનિલને તેના મામાઓ પ્રત્યે એટલી નારાજગી હતી કે એક વખત મામાના ઘરે સુતળી બોંબ ફેંકી આવ્યો હતો અને એક વખત ગરમ ગરમ દાળ ફેંકી હતી. તેની મા  મંજૂબેન પુત્રના અત્યાચારથી પરેશાન હતી, કારણકે તે વારંવાર માતાને મારપીટ કરતો હતો. પિતા અને પુત્ર બંને કશું કામ નહોતા કરતા, માત્ર મંજૂબેન જ મજૂરી કરીને  ઘર ચલાવતા હતા. મંજૂબેન 52 વર્ષના હતા અને તેમનો પુત્ર સુનિલ 25 વર્ષનો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.