બે દીકરી પછી દીકરાનો જન્મ થતા પશુપતિનાથના દર્શન કરવા ગયા અને જીવ ગયો

નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા પાંચ ભારતીયોમાં શામેલ સોનુ જયસવાલ કાઠમાંડૂના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં માથુ ટેકવવા ગયા હતા. લગભગ છ મહિના પહેલા તેમની દિકરાની ઇચ્છા પુરી થઇ હતી. સોનુએ માનતા માની હતી કે, દિકરો આવવાની ખુશીમા પશુપતિનાથ જઇને માથુ ટેકવશે, પણ નસીબને કંઇ બીજુ જ મંજૂર હતું.

વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની ખબર જેવી ગાઝીપુર જિલ્લાના ચક જૈનબ ગામમાં પહોંચી, તેમના પરિવાર સાથે સાથે તેમના વિસ્તારમાં ધમાલ મચી ગઇ. શોકાકુળ પરિવારને સાંત્વના આપવા માટે ભારે સંખ્યામાં લોકો ઘરે પહોંચ્યા હતા. સોનુની બે દિકરી છે. તેમણે માનતા માની હતી કે, છોકરો આવવાની ખુશીમાં તે પશુપતિનાથ મંદિર જઇને માથુ ટેકવશે. આ વાત તેમના સંબધી તથા ચક જૈનબ ગ્રામ પંચાયતના પ્રધાન વિજય જયસવાલે એક ન્યુઝ એજન્સીને કહી હતી.

તેમણે કહ્યું કે, સોનુ પોતાના ત્રણ મિત્રોની સાથે 10મી જાન્યુઆરીના રોજ નેપાળ ગયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન પશુપતિનાથના દર્શન કરવાનો હતો. તેમણે દિકરો આવવાની માનતા માની હતી. તેમની ઇચ્છા પુરી થવા પર તે ત્યાં દર્શન કરવા ગયા હતા, પણ નસીબને કંઇ બીજુ જ મંજૂર હતું. સોનુ જયસવાલ બીયરની દુકાન ચલાવતા હતા. વર્તમાનમાં તેઓ વારાણસીના સારનાથમાં વસવાટ કરતા હતા. જોકે, અલાવલપુર ચટ્ટીમાં તેમનું એક અન્ય ઘર પણ છે. વિમાન દુર્ઘટનામાં એક મિત્ર અભિષેક કુશવાહા, વિશાલ શર્મા અને અનિલ રાજભરએ પણ જીવ ગુમાવ્યો છે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, વિશાલ શર્મા બડેસર ક્ષેત્રના અલાવલપુર ચટ્ટી ગામના હતા. જ્યારે, અનિલ રાજભર ચક જૈનબ અને અભિષેક કુશવાહા ધારવાના નિવાસી હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, રાજભર જન સેવા કેન્દ્ર સંચાલિત કરતા હતા. કુશવાહા કોમ્પ્યુટર વ્યવસાય સાથે જોડાયેલા હતો અને શર્મા ટુવ્હીલર શોરૂમમાં કોમ્પ્યટર ઓપરેટર હતો. ગ્રામીણોએ કહ્યું કે, ચારે પોખરામાં પેરાગ્લાઇડિંગ બાદ મંગળવારે ગાઝીપુર ફરવાના હતા.

ગાઝીપુરના જિલ્લા અધિકારીઓનું કહેવું છે કે, અમારા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારી શોકાકુળ પરિવારોના સંપર્કમાં છે. અમે દૂતાવાસના પણ સંપર્કમાં છીએ. બીજી બાજુ, યોગી આદિત્યનાથે દુર્ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ અધિકારીઓને મૃતકના પાર્થિવ શરીર લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે સમન્વય કરવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, નેપાળ વિમાન દુર્ઘટના અત્યંત દુખદ છે. માર્યા ગયેલા ભારતીય નાગરિકો સહિત દરેક લોકોને વિનમ્ર શ્રદ્ધાંજલી. મારી સંવેદના શોક સંતપ્ત પરિવારો સાથે છે. ભગવાન શ્રીરામ તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.