નર્મદા નદીમાં અચાનક પાણી વધી ગયા, ન્હાવા પડેલા શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા, જુઓ વીડિયો

નર્મદા નદીમાં રવિવારે ન્હાવા પડેલા લોકો અચાનક પાણી વધી જવાને કારણે અટવાઇ ગયા હતા, પરંતુ સદનસીબે તેમને મદદ મળી ગઇ અને બધા સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

મધ્ય પ્રદેશમાં આવેલા ખંડવાના ઓમકારેશ્વરમાં  નર્મદા નદીમાં ન્હાવા પડેલા શ્રદ્ધાળુઓના જીવ તાળિયે ચોંટી ગયા હતા, નદીમાં અચાનક પાણી વધી જવાને કારણે અનેક લોકો અધવચ્ચે ફસાઇ ગયા હતા, જો કે નાવિકોએ સમયસર બધાને બચાવી લેતા  એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઇ હતી.નદીના પાણીમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ પાણી વધી જવાને કારણે ગભરાઇ ગયા હતા પરંતુ જ્યારે હેમખેમ બહાર આવ્યા ત્યારે ભગવાનનો પાડ માન્યો હતો.

MPના ખંડવામાં એક મોટી દુર્ઘટના ટળી ગઇ છે. ઓમકારેશ્વર ખાતે 15 થી વધુ શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો હતો. પાણીનું સ્તર વધતાં નદીમાં સ્નાન કરી રહેલા લોકો ફસાયા હતા. આ પછી તેમને બચાવી લેવામાં આવ્યા છે. તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું હતું. જેના કારણે શ્રદ્ધાળુઓ અધવચ્ચે જ અટવાયા હતા

ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્વરમાં મોટી સંખ્યામાં લોકો જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવે છે અને અહીં આવેલા લોકો મોટાભાગે નર્મદા નદીમાં સ્નાન કરીને પછી જ જાય છે. રવિવારે પણ કેટલાંક શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ નાવિકોએ સુઝબુઝ રાખીને એક પછી એક શ્રદ્ધાળુઓને નદીમાંથી સહીસલામત બહાર કાઢી લીધા હતા.સદનસીબે કોઇનો જીવ ન ગયો.

નેશનલ હાઇડ્રોલિક પાવર કોર્પોરેશન (NHPC)એ પાણી છોડતા પહેલા કોઇ સુચના આપી નહોતી. સવારે અચાનક પાણી છોડી દીધુ હતં, આ તો સારુ કે નાવિકોની નજર પડીને શ્રદ્ધાળુએને બચાવી લેવાયા, પરંતુ કર્મચારીઓની આ ગંભીર બેદરકારી છે. રવિવારે તો ઓમકારેશ્વરમાં વધારે ભીડ રહેતી હોય છે.

મધ્ય પ્રદેશના ખંડવામાં આવેલા ઓમકારેશ્વર એક હિંદુ મંદિર છે. જે નર્મદા નદીની વચ્ચે મન્ધાતા કે શિવપુરી નામક ટાપુ પર આવેલું છે. આ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માનું  એક છે. સદીઓ પહેલા અહીં ભીલ જાતિના લોકોએ વસ્તી વસાવી હતી અને અત્યારે આ જગ્યા તેની ભવ્યતા અને ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.