નર્મદા નદીમાં અચાનક પાણી વધી ગયા, ન્હાવા પડેલા શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા, જુઓ વીડિયો

નર્મદા નદીમાં રવિવારે ન્હાવા પડેલા લોકો અચાનક પાણી વધી જવાને કારણે અટવાઇ ગયા હતા, પરંતુ સદનસીબે તેમને મદદ મળી ગઇ અને બધા સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

મધ્ય પ્રદેશમાં આવેલા ખંડવાના ઓમકારેશ્વરમાં  નર્મદા નદીમાં ન્હાવા પડેલા શ્રદ્ધાળુઓના જીવ તાળિયે ચોંટી ગયા હતા, નદીમાં અચાનક પાણી વધી જવાને કારણે અનેક લોકો અધવચ્ચે ફસાઇ ગયા હતા, જો કે નાવિકોએ સમયસર બધાને બચાવી લેતા  એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઇ હતી.નદીના પાણીમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ પાણી વધી જવાને કારણે ગભરાઇ ગયા હતા પરંતુ જ્યારે હેમખેમ બહાર આવ્યા ત્યારે ભગવાનનો પાડ માન્યો હતો.

MPના ખંડવામાં એક મોટી દુર્ઘટના ટળી ગઇ છે. ઓમકારેશ્વર ખાતે 15 થી વધુ શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો હતો. પાણીનું સ્તર વધતાં નદીમાં સ્નાન કરી રહેલા લોકો ફસાયા હતા. આ પછી તેમને બચાવી લેવામાં આવ્યા છે. તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું હતું. જેના કારણે શ્રદ્ધાળુઓ અધવચ્ચે જ અટવાયા હતા

ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્વરમાં મોટી સંખ્યામાં લોકો જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવે છે અને અહીં આવેલા લોકો મોટાભાગે નર્મદા નદીમાં સ્નાન કરીને પછી જ જાય છે. રવિવારે પણ કેટલાંક શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ નાવિકોએ સુઝબુઝ રાખીને એક પછી એક શ્રદ્ધાળુઓને નદીમાંથી સહીસલામત બહાર કાઢી લીધા હતા.સદનસીબે કોઇનો જીવ ન ગયો.

નેશનલ હાઇડ્રોલિક પાવર કોર્પોરેશન (NHPC)એ પાણી છોડતા પહેલા કોઇ સુચના આપી નહોતી. સવારે અચાનક પાણી છોડી દીધુ હતં, આ તો સારુ કે નાવિકોની નજર પડીને શ્રદ્ધાળુએને બચાવી લેવાયા, પરંતુ કર્મચારીઓની આ ગંભીર બેદરકારી છે. રવિવારે તો ઓમકારેશ્વરમાં વધારે ભીડ રહેતી હોય છે.

મધ્ય પ્રદેશના ખંડવામાં આવેલા ઓમકારેશ્વર એક હિંદુ મંદિર છે. જે નર્મદા નદીની વચ્ચે મન્ધાતા કે શિવપુરી નામક ટાપુ પર આવેલું છે. આ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માનું  એક છે. સદીઓ પહેલા અહીં ભીલ જાતિના લોકોએ વસ્તી વસાવી હતી અને અત્યારે આ જગ્યા તેની ભવ્યતા અને ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.