પતિ અને માતાના મૃતદેહો સાથે રહેતી હતી મહિલા, અંતિમ સંસ્કાર ન કર્યાનું કારણ કહ્યુ

તમિલનાડુના ઈરોડ શહેરનો ગોબીચેટ્ટીપલયમ વિસ્તાર એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસો પહેલા એક વૃદ્ધ અને તેની સાસુનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું. વૃદ્ધની પત્ની પાસે એટલા પૈસા નહોતા કે તે બંનેના અંતિમ સંસ્કાર કરી શકે. એટલા માટે તેણે બંનેના મૃતદેહ ઘરની અંદર રાખ્યા હતા. ઘણા દિવસો સુધી ઘરમાં રાખવાને કારણે બંને મૃતદેહો સડવા લાગ્યા અને તેમાંથી દુર્ગંધ આવવા લાગી.

જ્યારે પડોશીઓએ પહેલા પૂછપરછ કરી તો મહિલાએ કહ્યું કે, ઉંદરોએ ગંદકી ફેલાવી છે, તેથી જ તેમાંથી દુર્ગંધ આવે છે, પરંતુ જ્યારે મૃતદેહો સડી જવાને કારણે દુર્ગંધ વધી ગઈ તો તેઓએ પોલીસને જાણ કરી. પોલીસના આગમન પર લોકોને બે લોકોના મોત અને તેમના મૃતદેહ ઘરમાં રાખવાની માહિતી મળી શકી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, શાંતિ નામની મહિલા તેના 73 વર્ષીય પતિ મોહનસુંદરમ અને 80 વર્ષીય માતા કનકમ્બલ, 35 વર્ષીય મનોરોગી પુત્ર સરવણકુમાર સાથે કુમનમ રોડ પર રહેતી હતી. આખા ઘરમાં મોહનસુંદરમ એકમાત્ર કમાનાર હતો. તે ઘર પાસે ચોકીદાર તરીકે કામ કરતો હતો. ચાર મહિના પહેલા મોહનસુંદરમ અને કનકબલ બીમાર પડ્યા હતા. જેના કારણે ઘરમાં આવકનો સ્ત્રોત ખતમ થઈ ગયો. જે પણ બચત હતી તેમાંથી કેટલાક દિવસો સુધી તેનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું.

ગરીબીને કારણે શાંતિ લોકોથી દૂર રહેતી અને કોઈની સાથે બોલતી ન હતી. પતિ અને માતા બીમાર પડવાને કારણે તે લાંબા સમય સુધી ઘરની બહાર પણ નહોતી નીકળી. દરમિયાન બંનેના મોત બાદ પડોશીઓએ ઘરમાંથી આવતી દુર્ગંધ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ગંદકી ફેલાવતા ઉંદરોના કારણે દુર્ગંધ આવી હતી, પરંતુ જ્યારે દુર્ગંધ વધી ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં બંનેના મૃતદેહ ઘરની અંદર પડેલા મળી આવ્યા હતા. આ પછી મામલો સામે આવ્યો.

પોલીસ કહે છે કે, 'બંને મૃતદેહો ખરાબ રીતે સડી ગયા હતા. શાંતિના પતિનું લગભગ 15 દિવસ પહેલા અને તેની માતાનું પાંચ દિવસ પહેલા મૃત્યુ થયું હોવાની ધારણા છે. તેણી પાસે પૈસા ન હતા અને તે હતાશ હતી. તે અંતિમ સંસ્કાર માટે તેના સંબંધીઓ પાસે પૈસા માંગવા માંગતી ન હતી. અમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દીધા અને પછી સંબંધીઓની સામે તેમના અંતિમ સંસ્કાર કર્યા.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.