ડૉક્ટરે મૃત કહી દીધેલા વૃદ્ધા સ્મશાન લઈ જતી વખતે થયા જીવતા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. 81 વર્ષની એક મહિલાને બ્રેઈન હેમરેજ થયું હતું. ડૉક્ટરોએ તેને બ્રેઈન ડેડ કહ્યુ હતુ. સંબંધીઓએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી અને 'મૃતદેહ' સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે મહિલાની આંખો ખુલી. સ્વજનો ચોંકી ઉઠ્યા. ત્યારબાદ મહિલાને ઘરે લાવવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે જ મહિલાનું મોત થયું હતું.

આ સમગ્ર મામલો ફિરોઝાબાદના જસરાના શહેરના બિલાસપુરનો છે. અહીંના રહેવાસી હરિભેજી (81)ને બિમારીના કારણે 23 ડિસેમ્બરે ફિરોઝાબાદના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં મંગળવારે હરિભેજીના બ્રેન અને હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડ્યુટી પર હાજર તબીબે કહ્યું કે તે હવે ક્લિનિકલી ડેડ છે.

સંબંધીઓને ડૉક્ટરે કહ્યું કે જો તેઓ અન્ય કોઈ ખાનગી વિધિ કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. મંગળવારે જ હરિભેજીનો પુત્ર સુગ્રીવ સિંહ તેની માતાને મૃત માનીને અંતિમ સંસ્કાર માટે જસરાના લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્વજનોને પણ તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ સિવિલ લાઇન અને મખ્ખનપુર વચ્ચે હરિભેજીએ અચાનક આંખ ખોલી હતી.

સંબંધીઓને લાગ્યું કે ડૉક્ટરે તેમને ખોટું કહ્યું છે, આ તો જીવિત છે. ત્યારબાદ હરિભેજીને તેમના ઘરે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનાથી ગાયનું દાન અપાવવામાં આવ્યું. ગ્રામજનોએ જણાવ્યું કે હરિભેજીએ પણ ચમચીથી ચા પીધી હતી. તેની હાલત ખરાબ જ હતી, પરંતુ તેમનું મૃત્યુ થયું ન હતું. પરિવારના સભ્યોને થોડી રાહત થઈ કે તેમના પરિવારની સૌથી વૃદ્ધ સભ્ય હજી જીવિત છે.

પરંતુ પહેલાથી જ મગજ અને હૃદય કામ કરવાનું બંધ કરી દેતાં હરિભેજીનું બુધવારે અવસાન થયું હતું. મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરિભેજીના પુત્ર સુગ્રીવ સિંહનું કહેવું છે કે ડૉક્ટરોએ તેમને મંગળવારે જ મૃત જાહેર કરી દીધા હતા પરંતુ તેમની માતાનું અવસાન બીજા દિવસે થયું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.