ધીરેન્દ્ર શાસ્ત્રી સામે યુવક ચક્કર ખાઈ પડ્યો, ભભૂતિ આપી પણ જીવ ન બચ્યો

બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે એક યુવક ચક્કર ખાઈને બેહોશ થઈને પડી ગયો હતો. આ પછી બાબાએ તેને ભભૂતિ પણ આપી, તેમ છતાં પણ તેની તબિયતમાં સુધારો ન થયો. યુવકને સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

બાગેશ્વર ધામમાં વધુ એક યુવકનું મોત થઇ ગયું છે. મૃતક ગોરખપુરનો રહેવાસી હતો અને ગુજરાતમાં પરિવાર સાથે રહીને ફર્નિચરનું કામ કરતો હતો. થોડા દિવસ પહેલા તેની પત્ની, સાળી અને પુત્ર સાથે બાગેશ્વર ધામ આવ્યો હતો. અહીં તેને અચાનક ચક્કર આવ્યા અને ધામમાં જ બાબાની સામે પડી ગયો. સંબંધીઓ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. મૃતકનું નામ વિજય કશ્યપ બતાવવામાં આવ્યું છે.

મૃતકની સાળી મનીષાએ જણાવ્યું કે, બનેવી, મારી બહેન અને અમને બધાને સાથે લઇ બાગેશ્વર ધામ આવ્યા હતા. મનીષાએ જણાવ્યું કે, તેના બનેવી વિજય કશ્યપને આંચકા આવતા હતા. તે અહીં સાજો થઇ જશે એવી આશા સાથે અમે બાગેશ્વર ધામમાં આવ્યા હતા. જ્યારે, મૃતકની સાળી સાથે હાજર એક વ્યક્તિ, જે પોતાને ધામનો સેવક જણાવતો હતો. તેણે જણાવ્યું કે, વિજયને અચાનક ચક્કર આવ્યા અને નીચે પડી ગયો. અમે બધા તેને બાગેશ્વર મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે લઈ ગયા. ત્યાં તે થોડીવાર સુધી શ્વાસ લેતો રહ્યો, પણ પછી તેણે બોલવાનું બંધ કરી દીધું.

મૃતકની સાળી મનીષા અને સેવાદારે જણાવ્યું કે, વિજયને ધીરેન્દ્ર મહારાજની સામે જ ચક્કર આવી ગયા હતા. આ પછી બાબાએ તેને ભભૂતિ આપી. થોડો સમય સેવા પણ કરી, પરંતુ થોડા સમય પછી વિજયના શ્વાસ બંધ થઈ ગયા. તેને બાગેશ્વર ધામની એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક વિજય કશ્યપને બાગેશ્વર ધામની એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેની સાથે ધામનો એક વ્યક્તિ પણ જિલ્લા હોસ્પિટલમાં આવ્યો હતો. જિલ્લા હોસ્પિટલના તબીબોને જાણ થતાં જ, કે બાગેશ્વર ધામમાંથી એક દર્દી આવ્યો છે, ડોક્ટરે તરત જ બહાર આવીને તેને તપાસ્યો હતો, ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જેવો જિલ્લા હોસ્પિટલના ડોક્ટરે વિજયને મૃત જાહેર કર્યો, તો પરિવારના સભ્યો રડવા લાગ્યા હતા. થોડો સમય જિલ્લા હોસ્પિટલમાં રોકાયા પછી, મૃતકના સંબંધીઓ તેને ગુજરાત પરત લઈ ગયા હતા.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.