સમીર વાનખેડેના ઘરેથી 4.50 લાખની ચોરી, ઘટના બાદ નોકરાણી ગાયબ

IRS અધિકારી સમીર વાનખેડે અને તેની એક્ટ્રેસ પત્ની ક્રાંતિ રેડકરના ઘરમાંથી 4.50 લાખ રૂપિયાની ચોરી થઇ ગઇ છે. પરિવારે તેની ફરિયાદ ગોરેગાંવ પોલીસને કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સમીર વાનખેડે અને તેમની પત્નીને નોકરાણી પર શંકા છે કેમ કે ચોરી બાદ જ તે ગાયબ છે. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ ચોરીમાં જ્વેલરી પણ સામેલ છે.

સમીર વાનખેડેનું નામ એ સમયે લાઇમલાઇટમાં આવ્યું હતું, જ્યારે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)માં હતા અને તેમણે એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને કસ્ટડીમાં લીધો હતો. જો કે, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતી વખત આર્યન ખાનને ક્લીન ચિટ મળી ગઇ હતી. તેને લઇને સમીર વાનખેડે સીનિયર અધિકારીઓના નિશાના પર આવી ગયા હતા. તેમનું ટ્રાન્સફર ચેન્નાઇ કરી દેવામાં આવ્યું હતું, ભારતીય આવકવેરા સેવા (IRS) અધિકારી સમીર વાનખેડેને ચેન્નાઇમાં ડિરેક્ટર ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજેન્સમાં DG ટેક્સપેયર સર્વિસના રૂપમાં તૈનાત કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી તેઓ મુંબઇમાં એનાલિટિક્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ ડિરેક્ટર કાર્યાલયમાં એડિશનલ કમિશનર હતા. સમીર વાનખેડે અને તેની ટીમે ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ મુંબઇમાં કાર્ડેલિયા ક્રૂઝ પર છાપેમારી કરી હતી. અહીંથી ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. આ કેસમાં આર્યન ખાન સહિત 22 લોકોની ધરપકડ થઇ હતી, પરંતુ વિવાદ ત્યારે વધી ગયો, જ્યારે મહારાષ્ટ્ર સરકારના તાત્કાલીન મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર સવાલ ઊભા કરી દીધા.

બોમ્બે હાઇ કોર્ટે 28 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને જામીન આપતા કહ્યું હતું કે, NCB માત્ર વૉટ્સએપ મેસેજ પર ભરોસો કરીને કેસ બનાવી રહી છે, જે આવા ગંભીર કેસમાં સારું નથી. ત્યારબાદ સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, ત્યારબાદ NCBએ તપાસ માટે SITની રચના કરી. ગયા વર્ષે 6 નવેમ્બરના રોજ NCBએ સમીર વાનખેડેને આ કેસની તપાસમાંથી હટાવી દીધા.

આ દરમિયાન સમીર વાનખેડે વધુ એક વખત ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે NCB ઉપમહાનિર્દેશક (DDG) જ્ઞાનેશ્વર સિંહ પર અત્યાચારનો આરોપ લગાવ્યો. સમીર વાનખેડેએ એ સંબંધમાં રાષ્ટ્રીય અનુસૂચિત અજાતિ આયોગમાં દલિત અત્યાચાર નિયંત્રણ કાયદા હેઠળ ફરિયાદ પણ નોંધાવી હતી. સમીર વાનખેડેએ એ સમયે આરોપ લગાવ્યો હતો કે NCB અધિકારીઓએ તેમના અને તેમના પરિવારજનોની બેંક ડિટેલ બધાને આપી છે. આ તેમની ગોપનિયતાના ઉલ્લંઘનનો કેસ છે. આ કેસને લઇને આયોગે કહ્યું કે, તેઓ જ્ઞાનશ્વર સિંહ વિરુદ્ધ લાગેલા અત્યાચારના આરોપોની તપાસ કરશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.