'PM મોદીની સામે કોઈ નથી'અજિત પવારે PMના વખાણ કર્યા, કહ્યું-હું CM બનવા તૈયાર છું

મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે અજિત પવારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અજિત પવારે કહ્યું કે, આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીની રાહ જોવાને બદલે NCP હવે CM પદ માટે દાવો કરી શકે છે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, તેઓ રાજ્યના CM બનવાનું 100 ટકા પસંદ કરશે. અજિતે કહ્યું, 'મેં સાંભળ્યું હતું કે, જૂન 2022 પહેલા શિવસેનાના નેતૃત્વ સામે બળવો કરનારા CM એકનાથ શિંદે નારાજ છે અને તેમના મગજમાં કંઈક ચાલી રહ્યું છે.'

અજિત પવારે ખુલાસો કર્યો કે, 2004માં તેમના સાથી સ્વર્ગસ્થ R.R. પાટીલ CM બની શક્યા હોત. ત્યારે NCPએ તેના સાથી પાર્ટી કોંગ્રેસ કરતાં વધુ વિધાનસભા બેઠકો જીતી હતી, પરંતુ દિલ્હીથી સંદેશ આવ્યો કે, તેમની પાર્ટીને DyCM પદ મળશે. અજિતને પૂછવામાં આવ્યું કે, શું NCP આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં CM પદ માટે દાવો કરશે? તેમણે કહ્યું, 'માત્ર 2024 શા માટે... અમે હમણાં પણ CM પદ માટે દાવો કરવા તૈયાર છીએ.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ CM બનવા ઈચ્છે છે. આના પર તેમણે કહ્યું, 'હા, હું 100 ટકા CM બનવા માંગુ છું.'

અજિત પવારને પૂછવામાં આવ્યું કે, NCPને DyCM પદ સાથે આટલું આકર્ષણ કેમ છે? આ પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું, '2004 માં, NCP અને કોંગ્રેસ ગઠબંધનમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને NCPએ વધુ બેઠકો જીતી હતી,' તેમણે કહ્યું કે, 'અમને 71 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ 69 જીતી હતી, એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસ સહિત બધાને લાગતું હતું કે CM NCPના હશે, પરંતુ દિલ્હીથી મેસેજ આવ્યો કે DyCM પદ NCPને મળશે.'

અજિત પવારે કહ્યું કે, તેમના સાથી પાટીલને વિધાનસભાના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જો NCPને ટોચનું પદ આપવામાં આવ્યું હોત તો તેઓ 2004માં CM બન્યા હોત. તેમણે કહ્યું કે, 'ત્યારપછીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને NCP કરતા વધુ સીટો મળી હતી. સ્વાભાવિક રીતે કોંગ્રેસે CM પદ પોતાની પાસે જ રાખ્યું.

તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને કોંગ્રેસના CM પૃથ્વીરાજ ચવ્હાણ અથવા શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે સાથે કામ કરવામાં આનંદ છે, જેમણે નવેમ્બર 2019 થી જૂન 2022 સુધી CM પદ સંભાળ્યું હતું. તેના જવાબમાં અજિત પવારે કહ્યું કે, પૃથ્વીરાજ ચવ્હાણ સાથે કામ કરવામાં મને આનંદ ન હતો, પરંતુ તેમણે ઉદ્ધવ સાથે ખુશીથી કામ કર્યું.

અજિત પવારે ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. અજિતે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે BJPનો પાછલા વર્ષોમાં વિકાસ થયો છે. PM નરેન્દ્ર મોદી 2014 અને 2019માં સતત લોકસભા ચૂંટણીમાં પાર્ટીને બહુમતી અપાવવામાં સફળ રહ્યા, જે એક સિદ્ધિ છે. પૂર્વ PM અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજો પણ આ કારનામું કરી શક્યા નથી. જ્યારે અજિતને પૂછવામાં આવ્યું કે, PM નરેન્દ્ર મોદી પછી કોણ છે, તો તેમણે કહ્યું કે કોઈ નામ સામે નથી આવતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.