પ્રફુલ્લ પટેલે કહ્યું-અમે જ અસલી NCP છીએ, નિર્ણય માત્ર સત્તા માટે નથી, PMના વખાણ

PC: aajtak.in

મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય ઉથલપાથલ અંગે NCPના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે, આજે જે બન્યું તેની વાત પહેલેથી જ થઈ રહી હતી અને તે અંગે પ્લાનિંગ પણ થઈ રહ્યું હતું. તેમણે એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો કે, રવિવારે લેવાયેલો નિર્ણય માત્ર સત્તા માટે નથી, પરંતુ તે સ્થિરતાનો મામલો હતો અને આના કરતાં પણ આ નિર્ણય મહારાષ્ટ્ર અને રાજ્યના વિકાસના હિતમાં લેવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા NCPના કાર્યકારી અધ્યક્ષે અજિત પવારના બળવાખોર નિર્ણય અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો અને કહ્યું કે, શિવસેના અને BJP વચ્ચે કોઈ તફાવત નથી.

વાતચીત દરમિયાન પ્રફુલ્લ પટેલે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક સમયથી NCPમાં આ ચર્ચા ચાલી રહી હતી કે NDAમાં જવું જોઈએ. એટલા માટે નહીં કે તે સત્તાનો વિષય હતો. શિવસેના અને NCP સાથે સરકાર બનાવવી એ અમારા માટે સ્વાભાવિક ગઠબંધન નથી. શિવસેના BJP એક જ સિક્કાની બે બાજુ છે. રાજકારણમાં કોઈ વધારે કે ઓછું નથી હોતું. તે સમયે એવું થયું. મારા મતે તે કુદરતી જોડાણ ન હતું.

શિવસેના તૂટી ગઈ, ત્યારપછી શિવસેના જ ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ છે. કોંગ્રેસ હજુ પણ એ સ્વીકારવા તૈયાર નથી કે, તે સૌથી મોટી પાર્ટી નથી. અમે વિપક્ષમાં ચોક્કસ હતા, પરંતુ અમે સમજી શકીએ છીએ કે જો અમે એક વર્ષ પછી ચૂંટણીમાં જઈશું, તો અમે લોકો સમક્ષ અમારી જાતને યોગ્ય રીતે રજૂ કરી શકીશું નહીં. NCPએ જ શિવસેના અને કોંગ્રેસની સામે સમાધાન કરવું પડશે.

જ્યારે પ્રફુલ પટેલને પૂછવામાં આવ્યું કે, તમારે હજુ પણ આવું જ સમાધાન કરવું પડશે તો પટેલે કહ્યું કે, BJPને જ જુઓ, તે 115 લોકોના સમર્થન સાથે સૌથી મોટી પાર્ટી છે. આ સરકારમાં સ્થિરતા નજર આવે છે. CM એકનાથ શિંદે હોવા છતાં આજે અમે અજિત પવાર દ્વારા જોડાયેલા છીએ, તેથી એક સ્થિરતા દેખાઈ રહી છે.

દેશના સ્તરે વિચારો, PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર કોઈ સવાલ નથી અને તેઓ 9 વર્ષથી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સાથે તેણે કહ્યું કે, 'હું શરદ પવાર પર ટિપ્પણી નહીં કરું. સાથે તેમણે એમ પણ કહ્યું કે, 'શિવસેના અને BJPમાં કોઈ ફરક નથી. જો તમે આદર્શ પરિસ્થિતિની વાત કરો છો, તો એવું હોવું જોઈએ કે, NCP આખા મહારાષ્ટ્રમાં લડ્યું, જીત્યું અને સરકાર બનાવી.'

તેમણે કહ્યું કે, રાજનીતિમાં સમય પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે. PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશ ઉપરાંત દેશની બહાર પણ છે. આ બધી વસ્તુઓ સ્થિરતા લાવે છે. પ્રફુલ્લ પટેલે એમ પણ કહ્યું હતું કે, હું આજના કે ગઈકાલના નિવેદનો પર નથી જતો. રાજકારણમાં ટીકા ટીપ્પણીઓ ચાલતી રહે છે. અમે BJP સાથે ગયા ત્યારે BJP પણ અમારી સાથે આવી, તેથી જ સંકલન બન્યું. મારે એટલું જ કહેવું છે કે, જે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, તે રાજ્ય, વિકાસ અને સ્થિરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

આ પછી, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ચૂંટણી જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, BJP-શિંદે ગઠબંધન 33 ટકાથી વધુ વોટ મેળવી શકશે નહીં. તેમને ત્રીજા પાર્ટનરની જરૂર પડશે. આ અંગે પટેલે કહ્યું કે, આવતીકાલે શું થવાનું છે તેના માટે એક વર્ષ અગાઉથી બોલવું યોગ્ય નથી. આ સાથે તેણે એમ પણ ઉમેર્યું કે, ક્યાંક આ વાતચીત પહેલાથી જ ચાલી રહી હતી. આજે અમે શિવસેના સાથે ગયા હતા, તો ક્યાંક ને ક્યાંક શક્યતા છે, તેથી જ અમે ગયા.

તેમણે શિવસેનામાં ભાગલાને આંતરિક વિખવાદ ગણાવતા કહ્યું કે, તે તેમનો વિષય છે. આજે અમે આ સરકારમાં ગયા છીએ, તેથી અમે તેમાં BJPને મહત્વપૂર્ણ રાખીને ગયા છીએ. આ સાથે જ શરદ પવાર સાથે જોડાયેલા અન્ય એક સવાલ પર પટેલે કહ્યું કે, હું શરદ પવારને લઈને કોઈ જવાબ આપીશ નહીં. શરદ પવાર સાથે નિશાનની લડાઈ અંગે કહ્યું કે, અમે કોઈ યુદ્ધ નથી લડી રહ્યા. અજિત પવારને બહુમતી સાથે સમર્થન મળ્યું છે. અસલી NCPના સવાલ પર કહ્યું કે, અસલી-નકલીનો સવાલ જ નથી, અમે જ NCP છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp