ચોરી કરીને ભાગતી વખતે 11 હજાર વૉલ્ટની લાઇન સાથે ટકરાયો ચોર, તડપી તડપીને મોત

હાપુડ જિલ્લાના ધૌલાના વિસ્તારથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. શેખપુર ખીચરા ગામની નિયાજ કોલોનીમાં ચોરી કરવા આવેલા ચોરની છત ઉપરથી પસાર થઈ રહેલી એચ.ટી. લાઇનની ઝપેટમાં આવવાથી મોત થઈ ગયું. મૃતક પાસે ચોરી કરેલો સામાન મળી આવ્યો છે. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે શબ કબજામાં લીધું. તેની તપાસ તેના ખિસ્સા મળેલી IDથી થઈ છે. તેની ઓળખ અફસર (રહે. દેહરા ગામ, ભદ્રાન મોહલ્લા)ના રૂપમાં થઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બહાદુરગઢના રાઝેટીના રહેવાસી જાવેદે જણાવ્યું કે, તે છેલ્લા 7 વર્ષથી શેખપુર ખીચરા ગામની નિયાજ કોલોનીમાં પોતાનું મકાન બનાવીને પત્ની અને બાળકો સાથે રહે છે. તે UPSC સ્થિત એક ફેક્ટરીમાં એક ટ્રાન્સપોર્ટરને ત્યાં ડ્રાઈવર છે. શનિવારે રાત્રે તે પોતાની પત્ની અને બાળકો સાથે મકાનના એક હિસ્સામાં બનેલા રૂમમાં સૂતો હતો. મકાનમાં મેન ગેટ બંધ હતો. સવારે લગભગ 6:00 વાગ્યે તેની પત્ની શમા પરવીનની આંખ ખૂલી તો તેણે જોયું કે રૂમના દરવાજા ખુલ્લા છે. સામાન આમ-તેમ વિખેરાયેલો પડ્યો છે.

ત્યારબાદ તે મકાનની છત પર ગઈ તો જોયું કે એક યુવક ત્યાં પડ્યો છે. ગભરાયેલી પત્ની નીચે આવી અને તેને જગાડ્યો અને આખી ઘટના બાબતે જણાવ્યું. જાવેદે છત પર જઈને જોયું કે એક યુવક મૃત અવસ્થામાં પડ્યો છે. તેણે પોલીસને જાણકારી આપી અને પાડોશીઓને અવગત કરાવ્યા. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે તેની તપાસ કરી તો તેની પાસે 4 મોબાઈલ, ઘડિયાળ, સોના અને ચાંદીના ઘરેણાં, 2500 રૂપિયા અને એક ID મળી આવી છે.

પોલીસે મૃતકની ઓળખ કરીને પરિવારજનોને જાણકારી આપી. પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્ર કુમાર બિષ્ટે જણાવ્યું કે આરોપી પહેલા પણ ચોરીની ઘટનાઓમાં જેલ જઈ ચૂક્યો છે. આશંકા છે કે ભાંગતી વખત કરંટ લગતા તેનું મોત થઈ ગયું છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. જેથી મોતના કારણ સ્પષ્ટ થશે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.