એન્જિનિયરના ઘરે ચોરોને કંઈ ન મળ્યું તો છોડી ગયા 500ની નોટ, ચર્ચામાં આ અનોખી ચોરી

દિલ્હીમાં ચોરીની એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. રોહિણી સેક્ટર 8ના એક ઘરમાં ચોરીના ઇરાદાથી ઘૂસેલા ચોરોને લઈ જવા કંઇ પણ ન મળ્યું. ન તો તમને રોકડ રકમ મળી અને ન તો ઘરમાં જ્વેલરી કે કોઈ બીજો કિંમતી સામાન હતો. અહી સુધી કે ઘરમાં મોબાઈલ અને લેપટોપ જેવી કોઈ પણ વસ્તુ ન મળી. ત્યારબાદ ચોરોએ ઘરના દરવાજા પર 500 રૂપિયા છોડી દીધા. સોશિયલ મીડિયા પર ચોરોની આ દરિયાદિલીની ખૂબ મજા લેવામાં આવી રહી છે. ઘટનાની માલિકોએ પણ પુષ્ટિ કરી છે કે તેમના ઘરમાંથી કોઈ સામાન ગાયબ થયો નથી, પરંતુ દરવાજા પર 500 રૂપિયાની એક નોટ ચોર પોતાની તરફથી ઘરમાં છોડી ગયા હતા.

દિલ્હીના રોહિણીમાં પોતાના ઘર પર સરકારી નોકરીથી રિટાયર થઈ ચૂકેલા 80 વર્ષીય વૃદ્ધ પોતાની પત્ની સાથે રહે છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના એન્જિનિયર દીકરાને મળવા માટે ગુરુગ્રામ ગયા હતા, જ્યારે પાડોશીઓએ તેમને ઘરના દરવાજાનું લોક તૂટવા બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસને રિપોર્ટ નોંધાવ્યો હતો. જો કે, તેમણે કહ્યું કે, ઘરનું લોક તૂટ્યું હતું, પરંતુ ઘરની અંદરથી કોઈ સામાન ગાયબ થયો નહોતો. એક 500 રૂપિયાની નોટ જરૂર દરવાજા પર તેમને મળી.

વૃદ્ધ દંપતીએ જણાવ્યું કે, એ લોકો મોટા ભાગે પોતાના દીકરા પાસે રહેવા માટે ગુરુગ્રામ જતા રહે છે. તેમણે કહ્યું કે, ચોરીની ઘટનાઓને જોતા અમે ઘરમાં ન તો જરૂરિયાતથી વધારે પૈસા રાખીએ છીએ અને ન તો જ્વેલરી કે કોઈ બીજો સામાન ઘરમાં રાખીએ છીએ. ઘરમાં માત્ર જરૂરિયાત પૂરતો જ સામાન અને ફર્નિચર છે. બની શકે કે ચોરોને ચોરવા લાયક કંઈ પણ મળ્યું નહીં હોય, તો તેમણે પોતે જ 500 રૂપિયા છોડી દીધા. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

દિલ્હીમાં તેની સાથે હળતી-મળતી વધુ એક ઘટના અગાઉ પણ સામે આવી ચૂકી છે. જૂન મહિનામાં શાહદરા વિસ્તરમાં એક કપલ પાસેથી લૂંટફાટ કરનારી ગેંગને તેની હાલત જોઈને તરસ આવી ગઈ હતી. કપલ પાસે માત્ર 20 રૂપિયા મળ્યા, ત્યારબાદ લૂંટારાઓએ તેમને 100 રૂપિયા આપી દીધા હતા. હવે આ વૃદ્ધ દંપતીના ઘરમાં જ્યારે ચોરોને કંઈ ન મળ્યું તો તેમણે 500 રૂપિયા છોડી દીધા. આ ઘટનાઓથી એમ જ લાગે છે કે ક્યારેક ક્યારેક ચોર અને લૂંટારુ પણ માણસાઈ દેખાડવાનું ભૂલતા નથી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.