RTIમા સામે આવ્યું- PM મોદી પોતે જ તેમના ભોજનનો ખર્ચ ઉઠાવે છે

જ્યારથી PM નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી લોકોની પણ તેમના વિશેની માહિતી જાણવા માટેની ઉત્સુકતા વધી છે. તેઓ શું ખાય છે, શું પહેરે છે, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોણ હેન્ડલ કરે છે? આ તમામ બાબતોથી લોકો જાગૃત રહેવા માંગે છે. તો ચાલો તમને આ સ્ટોરીમાં PM મોદીની એવી વાતો વિશે જણાવીએ જે રસપ્રદ છે.

એક RTIમાં PM મોદી પર થતા ભોજનના ખર્ચ વિશે માહિતી માંગવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી અધિકારીએ આ અંગે વિગતવાર જવાબ આપ્યો છે. RTIના જવાબમાં અધિકારીએ કહ્યું કે PM મોદી પોતે જ તેમના ભોજનનો ખર્ચ ઉઠાવે છે. એટલે કે તેમના ભોજન પર સરકારનો કોઈ ખર્ચ થતો નથી.

2015માં  એક RTIના જવાબમાં માહિતી અધિકારીએ કહ્યું હતું કે PM મોદી ગુજરાતી ફૂડ પસંદ કરે છે. તેઓ તેમના રસોઈયા બદ્રી મીના દ્વારા તૈયાર કરેલો ખોરાક ખાય છે. PMને બાજરીના રોટલા અને ખીચડી ખાવાનું પસંદ છે.

RTI દ્વારા PM મોદીની રજાઓ વિશે માહિતી માંગવામાં આવી હતી. તેના જવાબમાં PMOએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ હજુ સુધી કોઈ રજા લીધી નથી.

એક RTIમાં PM મોદીના કામકાજના કલાકો વિશે માહિતી માંગવામાં આવી હતી. ત્યારે PMOએ કહ્યું હતું કે એવું કહી શકાય કે PM દરેક સમયે ડ્યુટી પર હોય છે. 2015માં અન્ય એક RTIમાં PMOમાં ઈન્ટરનેટ સ્પીડ અંગે માહિતી માંગવામાં આવી હતી. આનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. જવાબમાં કહેવામાં આવ્યું હતું કે PMOની ઇન્ટરનેટ સ્પીડ 34 Mbps છે.

PM નરેન્દ્ર મોદીને લગતા ઘણા RTI પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આમાં તેમના રોજિંદા ખાવાના ખર્ચથી લઈને કપડા પરના ખર્ચની પણ માહિતી માંગવામાં આવી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેઓ દેશના 15મા વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2014ની સામાન્ય ચૂંટણીઓ અને ફરીથી 2019માં તેમની ઐતિહાસિક જીત બાદ તેઓ વડાપ્રધાન પદ સંભાળી રહ્યા છે. નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે સતત બીજી વખત સત્તા પર આવ્યા છે. રાજકારણમાં તેમના દરેક પગલા પર દેશની નજર રહે છે. પરંતુ તેના અંગત જીવન વિશે ઘણા ઓછો લોકો જાણે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.