કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, મેટિંગ દરમિયાન ઈજાના કારણે ગયો જીવ

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ગયુ છે. મળતી માહિતી અનુસાર, અંદરો અંદરની લડાઈમાં માદા ચિત્તા દક્ષાનું મંગળવારે મોત થઈ ગયું. દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓ પૈકી અત્યારસુધીમાં ત્રણ ચિત્તાઓના મોત થઈ ચુક્યા છે. તેમા છ વર્ષનો ચિત્તો ઉદય પણ સામેલ છે, જેણે ગત મહિને જ દમ તોડ્યો છે. આ પહેલા કૂનો નેશનલ પાર્કમાં 23 એપ્રિલે છ વર્ષના ઉદય નામના ચિત્તાનું મોત થઈ ગયુ હતું.

સંબંધિત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર, મંગળવારે સવારે 10 વાગ્યે કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા દક્ષા મોનિટરીંગ ગ્રુપને ઈજાગ્રસ્ત હાલતમાં મળી. ત્યારબાદ ડૉક્ટર્સે તેની સારવાર કરી પરંતુ, થોડીવાર બાદ બપોરે આશરે 12 વાગ્યે તેનું મોત થઈ ગયું. પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું કે, દક્ષાને બાડા નંબર 1માં છોડવામાં આવી હતી અને તેની પાસે બાડા નંબર 7માં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલો ચિત્તા કોયલિશન વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા.

પ્રેસનોટમાં આગળ જાણકારી આપવામાં આવી છે કે, 30 એપ્રિલ, 2023ના રોજ થયેલી મીટિંગમાં બાડા સંખ્યા 7માં રહેલો ચિત્તા મેલ કોયલિશન અને વાયુને માદા ચિત્તા દક્ષાને ભેગા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કારણે બાડા સંખ્યા 7 અને 1ની વચ્ચે ગેટ 1 મેના રોજ ખોલવામાં આવ્યો. ત્યારબાદ ચિત્તા મેલ કોયલિશન 6 મેના રોજ બાડા નંબર 7માંથી બાડા નંબર 1માં પ્રવેશ્યો. માદા ચિત્તા દક્ષા પર મળી આવેલા ઈજાના નિશાન સંભવતઃ મેટિંગ દરમિયાનના હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ આફ્રિકા અને નામીબિયામાંથી લાવવામાં આવેલા કુલ 20 ચિત્તાઓમાંથી અત્યારસુધીમાં ત્રણ ચિત્તાઓ દમ તોડી ચુક્યા છે. કૂનો નેશનલ પાર્કમાં સૌથી પહેલા માદા ચિત્તા શાસાનું મોત થઈ ગયુ હતું. શાસા કૂનો નેશનલ પાર્કના વાતાવરણમાં પોતાને ઢાળી ના શકી અને બીમારીના કારણે તેનું મોત થઈ ગયું. હવે માત્ર 17 ચિત્તા જ બચ્યા છે.

કૂનો નેશનલ પાર્કના સુત્રોએ જણાવ્યું કે, જૂન મહિનાના અંત સુધી સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને સુરક્ષિત વાડાબંધીમાંથી બહાર કાઢીને ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારી કરવામાં આવી છે. 70 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચુકેલા ચિત્તાને ભારતમાં આબાદ કરવાના પ્રયાસો અંતર્ગત મધ્ય પ્રદેશ વન્યજીવ પ્રાધિકરણ મધ્ય પ્રદેશ કૂનો નેશનલ પાર્કના મુક્ત ફરવાના ક્ષેત્રોમાં પાંચ વધુ ચિત્તાને સેફ એનક્લોઝરથી છોડવા માટે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.